રાજસ્થાનમાં સારવાર દરમિયાન ગર્ભવતીનુ નિપજ્યુ મોત, ડૉક્ટર સામે કેસ દાખલ થતા ડૉક્ટરે મોતને કર્યુ વ્હાલુ, રાજ્યના ડૉક્ટરોમાં ભારોભાર રોષ
રાજસ્થાનમાં મહિલા ડૉક્ટરનો આપઘાત
દર્દીનું સારવાર દરમિયાન મોત
ડૉક્ટર સામે કેસ દાખલ થતા કર્યો આપઘાત
ડોક્ટરને ભગવાનનું રુપ માનવામાં આવે છે. ડોક્ટર આપણને નવુજીવન પુરુ પાડે છે તો બીજી તરફ ડોક્ટર સારવાર દરમિયાન જો દર્દીને કંઇક થાય તો ડૉક્ટર સામે આપણે આરોપ લગાવતા પણ વાર નથી લગાડતા. ત્યારે રાજસ્થાનમાં પણ આવી જ ઘટના બને અને ડોક્ટર સામે ફરિયાદ દાખલ થતા ડોક્ટરે મોતને વ્હાલુ કરી લીધું.
ડૉક્ટરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
રાજસ્થાના દૌસા જિલ્લાના લાલસોટ વિસ્તારની મહિલા ડોક્ટરે કથિત રીતે ગળેફાંસો ખાઇ લીધો. મહિલા ડૉક્ટરનું નામ અર્ચના શર્મા છે. તેની વિરુદ્ધ સોમવારમાં એક સ્થાનિક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોત બાદ સારવારમાં લાપરવાહી દાખવી હોવાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસનું કહેવુ છે કે કેસ દાખલ થયા બાદ ડોક્ટરે આ પગલુ ભર્યુ. મહિલા ડૉક્ટરની આત્મહત્યાને પગલે અન્ય ડૉક્ટરોએ પણ નારાજગી દર્શાવીને કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો.
સુસાઇડ નોટ પણ મળી આવી
મહિલા ડૉક્ટર અર્ચના શર્મા સુસાઇડ કેસમાં સુસાઇડ નોટ પણ મળી આવી જેમાં ડૉક્ટરે લખ્યુ કે મે કોઇ ભૂલ કરી નથી. કોઇને માર્યા નથી. પીપીએસ એક કોમ્લિકેશન છે અને તેના માટે ડૉક્ટર્સને હેરાન કરવાનું બંધ કરો. સાથે એમ પણ જણાવ્યુ કે પ્લીઝ મારા બાળકને તેની માતાની કમી મહેસૂસ ન થવા દેતા.
દોષીને નહી છોડવામાં આવે- અશોક ગેહલોત
આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યુ કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને છોડવામાં નહી આવે. તેમણે ટ્વિટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
हम सभी को सोचना चाहिए है कि कोविड महामारी या अन्य दूसरी बीमारियों के समय अपनी जान का खतरा मोल लेकर सभी के सेवा करने वाले डॉक्टरों से ऐसा बर्ताव कैसे किया जा सकता है। इस पूरे मामले की गंभीरता से जांच की जा रही है एवं दोषियों को बख्शा नहीं जाएगा।
दौसा में डॉ. अर्चना शर्मा की आत्महत्या की घटना बेहद दुखद है। हम सभी डॉक्टरों को भगवान का दर्जा देते हैं। हर डॉक्टर मरीज की जान बचाने के लिए अपना पूरा प्रयास करता है परन्तु कोई भी दुर्भाग्यपूर्ण घटना होते ही डॉक्टर पर आरोप लगाना न्यायोचित नहीं है।
IMAએ કર્યુ હડતાલનું એલાન
આ ઘટનાને પગલે રાજ્ય ભરના તબીબોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.IMAએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં હડતાલનું એલાન કર્યુ છે. IMAએ નું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જો હોસ્પિટલમાં મોત થઇ હોય તો સારવારમાં લાપરવાહીની કલમ 304 લગાવીને તથા કમિટી બનાવીને તપાસ કરી શકાય છે.