આ વર્ષે પહેલીવાર ગણતંત્ર દિવસની પરેડમાં લદાખની ઝાંખી સામેલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યું મહત્ત્વનું નિવેદન.
પરેડમાં યુદ્ધ વિમાન રાફેલ જેટ બનશે મુખ્ય આકર્ષણ
કોરોનાને લીધે માટરસાયકલ કરતબ શો નહી યોજાય
સલામી માર્ચ લાલકિલ્લાને બદલે નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે
પ્રસિદ્ધ થિક્સે મઠની ઝાંખી કરાશે
આ વર્ષની 26મી જાન્યુઆરીની પરેડમાં લદ્દાખની ઝાંખી પણ જોવા મળશે. કેન્દ્રિય મંત્રી જિંતેન્દ્ર સિંહે રવિવારે જણાવ્યું હતું કે, આ વર્ષની પરેડમાં લદ્દાખની ઝાંખી કરાવતાં પ્રસિદ્ધ થિક્સે મઠને રજૂ કરવામાં આવશે. આ મઠ લેહ જિલ્લામાં થિક્સેની પહાડી પર સ્થિત છે અને તે આ ક્ષેત્રનું પ્રમુખ પર્યટન સ્થળ છે. આ ઉપરાંત લદ્દાખની ઝાંખીમાં ભારતીય ખગોળીય વૈધશાળાને પણ પ્રસ્તુત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકરે પાંચ ઓગસ્ટ 2019નાં રોજ 370ની કલમને રદ કરીને જમ્મ-કશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મ અને કશ્મીર તેમજ લદ્દાખમાં વહેંચી દીધું હતું.
રાફેલ જેટ બનશે આકર્ષણનું કેન્દ્ર
26મી જાન્યુઆરીની પરેડમાં વિશ્વનાં સૌથી આધુનિક યુદ્ધ વિમાન રાફેલ જેટ અને બાંગ્લાદેશની સૈન્ય ટુકડી આ વર્ષે રાજપથ પર ગણતંત્ર દિવસ પર મુખ્ય આકર્ષણ બનશે. સૈન્ય અને અર્ધ સૈન્ય બળોની 36 બેન્ડ ટુકડીઓની દેશભક્તિથી ભરપૂર ધુનો સૈન્ય ટૂકડીઓની સલામી માર્ચમાં જોશ ભરશે. જોકે, કોરોના મહામારીને લીધે ગણતંત્ર દિવસ સમારોહના સૌથી રોમાંચક મોટરસાયકલનાં કરતબનો શો આ વર્ષ નહીં યોજાય.
કોરોનાને લીધે પરેટની લંબાઈ ટૂંકી કરવામાં આવશે
આ વર્ષનાં ગણતંત્ર દિવસની પરેડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ વીકે મિશ્રા કરશે અને તે દરમિયાન ત્રણેય સેનાઓની સાથે અર્ધસૈનિક બળોની 18 ટીમ માર્ચમાં ભાગ લેશે. જેમાં સેનાની એક ઘોડેસવાર ટીમ અને બીએસએફનાં ઊંટની ટીમ પણ સામેલ થશે. એનસીસી અન એનએસએસનાં યુવાનોની ટીમો પણ તેમાં રહેશે. કોરોનાને લીધે પરેડની લંબાઈ ટૂંકી કરવામાં આવી છે અને દરેક સલામી માર્ચ વિજય ચોકથી શરૃ થઈને લાલકિલ્લાને બદલે નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. રાજપથ પરેડની શરુઆત બાંગ્લાદેશની ત્રણેય સેનાઓની સંયુક્ત ટીમ અને તેમનાં મિલિટ્રી બેન્ડની સલામીથી કરવામાં આવશે. જેમાં 7 અધિકારીઓ સહિત 122 સૈનિકો હશે.
બાંગ્લાદેશનાં કર્નલે ભારતનો આભાર માન્યો
બાંગ્લાદેશની સેન્ય ટુકડીનું નેતૃત્વ કરી રહેલા કર્નલ મોહતશિમ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ તેમનાં દેશ માટે ખૂબ ગૌરવની વાત છે કે ભારતનાં ગણતંત્ર દિવસની પરેડમાં અમને સામેલ થવાની તક મળે છે. ભારતની સાથે આ સંબંધ એટલા માટે વિશેષ છે કેમકે બાંગ્લાદેશની સેનાં તેમનાં સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીય સેનાઓની અવિસ્મરણીય ભૂમિકા માટે હંમેશા આભારી છે.