લગભગ બે વર્ષ પહેલા ડોકલામમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મુકાબલો થયો હતો કારણ કે ભારતીય સૈનિકોએ ચીનને ત્યાં રસ્તો બનાવતા અટકાવ્યા હતા. આના પગલે ચીની સેનાએ વાહનોને દક્ષિણ ડોકલામમાં જમ્ફેરી રિજ તરફ ખસેડ્યા જે સિલિગુડી કોરિડોરની નજીક છે. ચૂમરની જેમ ડોકલામ ડેડલોકની શરૂઆત સ્થાનિક કમાન્ડરો દ્વારા કરવામાં આવી હતી અને આ મામલો વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો સુધી પહોંચ્યો હતો.
જનરલ ઝાઓ જોંગ્કી જે હાલમાં વેસ્ટર્ન થિયેટર કમાન્ડના ઉચ્ચ અધિકારી છે
45 વર્ષમાં પ્રથમ વખત આપણા સૈનિકો એલએસી પર માર્યા ગયા
એ શક્ય નથી કે જનરલ ઝાઓ જાતે જ આ પ્રકારના પગલા ભરતા હશે
આ વિવાદ 73 દિવસ પછી સમાપ્ત થયો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે ઉઠાવ્યો હતો. બંને નેતાઓ સંમત થયા કે બંને દેશો મુકાબલો ઇચ્છતા નથી. આ પછી બંનેએ સૈન્ય પાછા ફર્યા. લદાખમાં હવે બંને સેના સામ-સામે છે. આ બંને અડચણમાં એક વસ્તુ જે સામાન્ય છે તે છે જનરલ ઝાઓ જોંગ્કી. જે હાલમાં વેસ્ટર્ન થિયેટર કમાન્ડના ઉચ્ચ અધિકારી છે.
એક મીડિયાના અહેવાલ મુજબ એક સરકારી અધિકારીએ કહ્યું કે અમારી સમજણ બતાવે છે કે લદ્દાખમાં ડેડલોક ટોચથી શરૂ થયો છે. 15 જૂનના રોજ બનેલી આ ઘટના પહેલા આ અગાઉ બંને સૈન્ય જિલ્લામાં હિંસક અથડામણ થઈ હતી. પહેલું ઘર્ષણ 5-6 મેના રોજ થયું હતુ. જ્યારે ભારતીય અને ચીની સૈનિકો પેંગોંગ ત્સોની ઉત્તરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે બંને સૈન્યના સૈનિકો ઘાયલ થયા હતા અને તેમાં 250 સૈનિકો હતા.
થોડા દિવસો પછી 9 મેના રોજ સિક્કિમના લાકુ લા વિસ્તારમાં ભારતીય અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાનો વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી જે હિંસામાં પણ ફેરવાઈ હતી. આ ઘટનામાં 150 જવાન સંડોવાયેલા હતા. તેમાં ચાર ભારતીય અને સાત ચીની સૈનિકો ઘાયલ થયા હતા. ત્રીજી હિંસક અથડામણ 15 જૂને થઈ હતી. આમાં 45 વર્ષમાં પ્રથમ વખત આપણા સૈનિકો એચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (એલએસી) પર માર્યા ગયા.
એક અધિકારીએ કહ્યું કે પીએલએના સૈનિકોએ એક ઉચ્ચ કમાન્ડરની આગેવાની હેઠળ આ કર્યું. જેણે તિબેટ અને શિનજિયાંગ લશ્કરી જિલ્લાઓમાં સમાન વ્યૂહરચના અપનાવી હતી. તેમણે મે મહિનામાં લદ્દાખ અને સિક્કિમની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. બંને લશ્કરી જિલ્લાઓ જનરલ ઝાઓને અહેવાલ આપે છે. માનવામાં આવે છે કે તેઓ એલએસી પર સીધો કાર્યવાહીનો આદેશ આપે છે.
જોકે અધિકારીઓએ કહ્યું કે એ શક્ય નથી કે જનરલ ઝાઓ જાતે જ આ પ્રકારના પગલા ભરતા હશે. એક રાજનીતિકે જણાવ્યું હતું કે, ચીનના સૈન્યએ ડેડલોક વધારનારા પગલા કેમ ભરે છે. જ્યારે કે બન્ને દેશોના વિદેશ મંત્રી વાતચીત બાદ પરિણામ સુધી પહોંચ્યા હતા કે 6 જૂનના રોજ સૈન્ય અધિકારીઓની વચ્ચેની ચર્ચા અમલમાં મૂકવામાં આવશે. અને બન્ને સેનાઓ પીછે હઠ કરશે તેમ છતાં 15 જૂને લોહિયાળ સંઘર્ષ થયો.