પૂર્વ લદ્દાખના પેંગોગ લેક વિસ્તારમાં ભારત અને ચીનની વચ્ચે ડિસએન્ગેજમેન્ટ પર સહમતિ બની છે. જેના પર નોર્દન આર્મી કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ વાઈ કે જોશીએ એક ચેનલને આપેલા ઈન્ચવ્યૂના કેટલાક અંશો...
પેંગોંગ ત્સોમાં સેનાની વાપસી ભારતની જીત છે- જોશી
ભારત પોતાના ક્ષેત્રની મજબૂતીથી સુરક્ષા કરશે
...તો ભારત ભારતનું પલ્લુ ભારે પડ્યુ હતુ
કારગિલ યુદ્ધના હીરો રહેલા વાઈ કે જોશી વીર ચક્રથી સન્માનિત છે
નોંધનીય છે કે કારગિલ યુદ્ધના હીરો રહેલા લેફ્ટનેન્ટ જનરલ વાઈ કે જોશી વીર ચક્રથી સન્માનિત છે. લદ્દાખમાં ભારતનું સંપૂર્ણ ઓપરેશન તેમના જ કમાન્ડમાં થયું છે. તેમણે ઓપરેશન સ્નો લેપડ પર એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે અને ડિટેલ્સ શર કરી. તેમણે ઈન્ટરવ્યૂમાં ભારપૂર્વક કહ્યું કે ભારતે કોઈ પણ વિસ્તાર ગુમાવ્યો નથી. પેંગોંગ ત્સોમાં સેનાની વાપસી ભારતની જીત છે.
ભારત પોતાના ક્ષેત્રની મજબૂતીથી સુરક્ષા કરશે
હકિકતમાં પૂર્વ લદ્દાખ પેંગોંગ ત્સો લેકના દક્ષિણ અને ઉત્તરી તટ પર ભારતની કાર્યવાહીઓએ ચીની સેનાને હેરાન કરી દીધા હતા. ભારત અનેક જગ્યાઓ પર ચીનથી મજબૂત સ્થિતિમાં હતુ. એટલા માટે ચીની સેનાએ જાણી લીધું કે ભારત પોતાની માંગો વગર પીછે હટ કરવાનું નથી અને પૂર્વની સ્થિતિને યથાવત કરવી પડી. મહત્વની ચોટીઓ પર ભારતીય સેના દ્વારા કબ્જો કરવો એક ટર્નિંગ પોઈન્ટ હતો. જોશીએ જણાવ્યું કે ચીની સેનાને આ સંદેશ મળ્યો કે તે બળના પ્રયોગ દ્વારા એલએસીની સ્થિતિને એકતરફી નહીં બદલે. ભારત પોતાના ક્ષેત્રની મજબૂતીથી સુરક્ષા કરશે.
...તો ભારત ભારતનું પલ્લુ ભારે પડ્યુ હતુ
તેમણે જણાવ્યું કે 29-30 ઓગસ્ટની વચ્ચેની રાતને રેજાંગ લા અને રેચિન લા પર અમારા સૈનિકોએ કબ્જો કરી લીધો છે. આ પહેલા ભારતીય સેના દબદબા પોઝિશન પર આવી ગઈ હતી. જ્યારે આગલા દોરની વાત થઈ તો ભારત ભારતનું પલ્લુ ભારે પડ્યુ હતુ. લેફ્ટનન્સ જનરલે જણાવ્યું કે આ સમયે ડિસએંગેજમેન્ટ પ્રોસેસ ચાલી રહી છે. આ પ્રોસેસ 10 ફેબ્રુઆરીથી શરુ થઈ હતી. આ ચાર ચરણોમાં પુરી થવાની છે. પહેલા ચરણમાં ટેંક બખ્તરબંદ ગાડિયોની વાપસી થશે. બીજા અને ત્રીજા ચરણમાં ઉત્તર અને દક્ષિણ બેંકોમાંથી ઈંફ્રેટીને ડિસએંગેજ કરવામાં આવશે. જ્યારે ચૌથા ચરણમાં કેટલીક મહત્વની ચોટિઓથી ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ થશે. તેમણે જણાવ્યું કે દરેક ડિસએન્ગેજમેન્ટને અમે વેરીફાઈ કરી રહી છે. ચીની સેના ફિંગર 4થી ફિંગર 8થી પાછળ જઈ રહી છે. તેમણે ઘણું નિર્માણ કરી લીધું હતુ.
ભારત ઝડપથી લદ્દાખમાં માળખાગત ઢાંચાનું નિર્માણ કરી રહ્યું છે
લેફ્ટનન્સ જનરલે જણાવ્યું કે ડિસએન્ગેજમેન્ટ બાદ કોર્પ્સ કમાન્ડરની 10માં દોરની વાર્તા થશે. જેમાં ગોગરા, હોટસ્પ્રિંગ અને ડેપસાંગ સહિત અન્ય અથડામણ વાળા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે ભારત ઝડપથી લદ્દાખમાં માળખાગત ઢાંચાનું નિર્માણ કરી રહ્યું છે. સેના એલએસી પર પોતાના દાવાની રક્ષા કરવા સક્ષમ છે.
શું છે ડિસએન્ગેજમેન્ટ પ્લાન
ડિસએંગેજમેન્ટ પ્લાનના અનુસાર, ચીન ફિંગર 8 સુધી જશે અને ભારત ધનસિંહ થાપા પોસ્ટ પાસે ફિંગર 3 પર જશે. આ સાથે જ પૈંગોંગ લેકના દક્ષિણી કિનારાથી પણ તૈનાતી પણ પરત લઇ લેવામાં આવશે. આ સિવાય બન્ને તરફથી કોઇ પણ પેટ્રોલિંગ ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઇ જાય.
ચીન કરી રહ્યું છે પીછેહઠ
નોંધનીય છે કે ફિંગર 4 એરિયામાં ચીની સૈનિકોનો મોટો ઘટાડો થઇ ગયો છે. ચીન ફિંગર 5 અને ફિંગર 8 વચ્ચે પોતાના કેટલાક શલ્ટર્સ અને અન્ય સ્ટ્રક્ચર્સને પણ હટાવી દીધા છે. તણાવના સમયે વધુ બોટો માટે જે ઠેકાણા ચીન દ્વારા બનાવવામાં આવ્યા હતા, તેને પણ હટાવી દેવાયા છે. LAC પર ટેન્શન વધ્યા બાદ ચીન દ્વારા ફિંગર 5 અને 6 વચ્ચે વધુમાં વધુ બોટને રાખવા માટે બનાવવામાં આવેલા તમામ પ્લેટફૉર્મ પણ હવે ત્યાં હાજર નથી. હવે એવી જેટ્ટિઓ ફિંગર 8ની પાછળ છે. ઉલ્લેખનીય છે કે, પૈંગોંગ લેકની પાસે આવેલ ફિંગર 8 સુધીના ક્ષેત્ર પર ભારત પોતાનો દાવો કરે છે.