લદ્દાખમાં લોકસભા બેઠક પર ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે અક્સાઈ ચીનને ભારતનો વિસ્તાર ગણાવ્યો છે. તેને ચીનના કબજામાંથી છોડાવવાનો સમય આવી ગયો હોવાનું નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદે માત્ર અક્સાઈ ચીન જ નહીં પરંતુ ગિલગિટ બાલ્ટીસ્તાનને પણ લદ્દાખનો હિસ્સો ગણાવ્યો છે.
ગિલગિટ બાલ્ટીસ્તાન પણ ભારતનો ભાગઃ નામગ્યાલ
2020નું ભારત વધુ તાકાતવારઃ નામગ્યાલ
જે ચારાગાહો પર ચીને કબ્જો કર્યો તેના પર દાવો કરવો જોઇએઃ નામગ્યાલ
ચીન સાથે ચાલતા તણાવમાં તેમણે કહ્યું કે, 2020નું ભારત અલગ છે, 1962નું ભારત અલગ હતુ હવે ભારત બદલાઈ ચુક્યું છે. ભારતીય ગોવાળીયાઓને ગાય ચરાવવાની મનાઈ ફરમાવી છે તેને લઈને ભારતે હવે આ ક્ષેત્રો પર દાવો કરવો જોઈએ. નામગ્યાલે કહ્યું કે, અક્સાઇ ચીનને પરત લેવાનો સમય આવી ગયો છે.
ભાજપના સાંસદે વધુ કહ્યું કે, લદ્દાખના સ્થાનિક લોકોએ પણ સેનાને સમર્થન કરવાની જરૂર છે. ચીન સાથેના અથડામણમાં શહીદ થયેલા જવાનોના પરિજનોને સાંત્વના આપી હતી. લદ્દાખમાં ચાલતા તણાવ વચ્ચે સાંસદ જામયાંગે તે ક્ષેત્રની મુલાકાત કરી હતી અને કહ્યુ છે કે ભારતે આ તમામ ક્ષેત્ર પર હવે હક કરીને કબજો કરવાની જરૂર હોવાની વાત કરી છે.