લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોના મોત થયા છે
લદ્દાખમાં મોટી દુર્ઘટના
સેનાના જવાનો ભરેલી બસ નદીમાં ખાબકી
7 જવાનોના થયા મોત
લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોના મોત થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. જેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી.
7 Indian Army soldiers lost their lives so far in a vehicle accident in Turtuk sector (Ladakh), grievous injuries to others too. Efforts on to ensure best medical care for injured, incl requisition of air effort from IAF to shift more serious ones to Western Command: Army Sources
ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. આર્મીની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી.
50 ફુટ નીચે ખાબકી બસ
26 જવાનોની એક ટીમ પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફના આગળના વિસ્તાર તરફ જઈ રહી હતી. લગભગ 9 વાગ્યાની આસપાસ, થોઈસથી લગભગ 25 કિમી દૂર, રોડ માર્ગ પરથી લપસીને શ્યોક નદીમાં પડી ગયું હતું. આ વાહન લગભગ 50-60 ફૂટ નીચે પડ્યું હતું. તમામ 26 જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. અત્યાર સુધી 26માંથી 7ને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અન્ય જવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
સેનાનું સત્તાવાર નિવેદન નથી આવ્યું
ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફઓર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે વેસ્ટર્ન કમાંડ મોકલી શકે છે. સેનાની બસ ક્યા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી, હજૂ સુધી કોઈ સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી. આ ઘટનાને લઈને સેના તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પણ શરૂઆતી જાણકારી મુજબ જવાનોની બસ ટ્રાંજિટ કેમ્પથી સબ સેક્ટર હનીફ તરફ જઈ રહી હતી, આ દરમિયાન મોટી દુર્ઘટના થઈ હતી.