નવસારીના દાંડી ખાતે ટુરિઝમને વિક્સાવવા બસ-ટ્રેન શરૂ કરવા માગ, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું
આઝાદીનું પ્રવેશ દ્વાર પર સુવિધાઓનો અભાવ
દાંડી સુધી પહોંચવા નથી કોઈ સરકારી વ્યવસ્થા
ઐતિહાસિક રેલવે સ્ટેશન પણ માત્ર શોભા માટે
આઝાદીની વાત આવે ત્યારે વિશ્વમાં મહાત્માગાંધીની નોંધ લેવાય. પરંતુ ક્યાંકને ક્યાંક ગુજરાતની ધરતી પર જન્મેલા તે મહાત્માની ગુજરાતમાં જ ઉપેક્ષા થઈ રહી હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે. કારણ કે, એક તરફ કેવડિયા ખાતે ટૂરિઝમને વિક્સાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ મહાત્માગાંધીએ જ્યાંથી અંગ્રેજો સામે આઝાદીની ચડવળ શરૂ કરી હતી. ત્યાં જવા માટે કોઈ સુવિધા નથી. જેને લઈને ગાંધીપ્રેમીઓમાં નારાજગીનો સૂર વ્યાપ્યો છે
જ્યારે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીએ દાંડીમાં ચપડી મીઠું ઉપાડી અંગ્રેજોના કાળા કાયદાનો વિરોધ કરતા આઝાદીની ચડવળને વેગ આવ્યો હતો. અને આજે પણ દાંડી ગામને દેશની આઝાદીનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. સમય સાથે દાંડી ગામ અને દાંડી મેમોરિયલનો વિકાસ થયો. પરંતુ એકપણ સરકાર અહીં પર્યટકો આવી શકે તેવી કોઈ સુવિધાઓ નથી ઉભી કરી શકી,.
દાંડી જવા માટે પ્રાઈવેટ સાધનો જ એક માત્ર રસ્તો
વાત અહીં પર્યટનની સાથે-સાથે ઈતિહાસને વિશ્વ સુધી જીવંત રાખનાર સ્થળોની છે. આપણે કેવડિયા ખાતે ટુરિઝમને વિક્સાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. બીજી તરફ દાંડીમાં પણ સરકારે ટુરિઝમને વિક્સાવવા અને આઝાદીના પ્રવેશ દ્વારને યુવાઓમાં જાગૃત રાખવા વિકાસ કર્યો. પરંતુ આજે બંને પર્યટક સ્થળો વચ્ચે ભેદભાવએ છે, કે, કેવડિયા જવા માટે સરકારી બસથી માંડી ટ્રેન અને સી-પ્લેન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે દાંડી જવા માટે પ્રાઈવેટ સાધનો જ એક માત્ર રસ્તો છે.
માત્ર 1 મેમું ટ્રેન જ ઊભી રહે છે
મહત્વનું છે કે, આપણી હાલની સરકારે પર્યટનને વિક્સાવવા પર ખુબ ભાર આપ્યો છે. પરંતુ આઝાદીના પ્રવેશ દ્વાર દાંડી સુધી પહોંચવા માટે હાલ ન તો એપણ સરકારી બસ ચાલે છે. કે, ન તો ટ્રેન. પહેલા જે બસ ચાલતી હતી તે પણ બંધ કરી દેવાઈ છે. જ્યારે નવસારીના ઐતિહાસિક ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન પર માત્ર 1 મેમું ટ્રેન જ ઊભી રહે છે. તેવામાં નવસારી સલાહકાર સમિતિના સભ્યો અને ગાંધીપ્રેમીઓએ આ રેલવે સ્ટેશનને ફરી વિક્સાવવા માટે માગ કરી છે.
મહાત્મા આપણા માટે એક મહાપુરુષ છે. જેમણે તમામ પડકારો વચ્ચેથી પણ એક લાઠીના સહારે દેશને આઝાદી અપાવી. આપણે કોઈપણ પર્યટક સ્થળનો વિકાસ થાય તેનો વિરોધ ન કરી શકીએ. વળનગરથી કેવડિયા સુધી બસ સેવા શરૂ થાય તે પણ એક સન્માનની વાત છે. પરંતુ દેશની આઝાદીના પ્રવેશ દ્વાર સુધી પહોંચવા કોઈ સવારી ન મળે તે આપણા માટે દુખની વાત છે. આશા રાખીએ કે, સરકાર અને પર્યટન વિભાગ આ દીશામાં પણ કોઈ ચોક્કસ નિર્ણય લેશે. અને વહેલી તકે દાંડી સુધી પર્યટકો પહોંચે તે માટે કોઈ સુવિધા ઊભી કરશે.