રાત્રે મોડા સુધી જાગવું પણ તમારા હ્રદયને ઘણું નુકશાન પંહોચાડે છે. હા સાચે જો તમારી નિંદર પૂરી નથી થતી તો એ પણ હાર્ટ અટેક આવવાનું એક કારણ બની શકે છે.
હાર્ટ અટેકથી મૃત્યુ પામતા વ્યક્તિઓમાં જુવાનીય અને આધેડ ઉંમરના વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો
વ્યક્તિના શરીર માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક જરૂરી છે.
નિંદર પૂરી નથી થતી તો એ પણ હાર્ટ અટેક આવવાનું એક કારણ બની શકે છે
દુનિયાભરમાં દરરજો કેટલાય વ્યક્તિઓ હાર્ટ અટેકને મૃત્યુ પામતા હશે. ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. ઘણી વખત એવું બને કે વ્યક્તિ ફિટ છે કે સ્વસ્થ અને તંદુરસ્ત છે પણ ખરેખરમાં એવું નથી હોતું.પાછલા થોડા સમયમાં ઘણા એવા સેલેબ્રિટીઓ વિશે સમાચાર આવ્યા છે કે હાર્ટ અટેકને કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે. સિધ્ધાર્થ શુક્લા, પુનિત રાજકુમાર અને સિંગર કેકેનું નામ પણ આમાં શામેલ છે.
હાર્ટ અટેકથી મૃત્યુ પામતા વ્યક્તિઓમાં જુવાનીય અને આધેડ ઉંમરના વ્યક્તિઓની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. એમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની આદત સહિત ઓછી નિંદર પણ હાર્ટ અટેક આવવાની પાછળ એક જવાબદાર કારણ છે. રાત્રે મોડા સુધી જાગવું પણ તમારા હ્રદયને ઘણું નુકશાન પંહોચાડે છે. હા સાચે જો તમારી નિંદર પૂરી નથી થતી તો એ પણ હાર્ટ અટેક આવવાનું એક કારણ બની શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવી કે વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ કેટલા કલાકની નિંદર લેવી ફરજિયાત છે અને ઓછી નિંદર કરવાથી કઈ રીતે તમને હ્રદય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
એક દિવસમાં કેટલી કલાકની નિંદર જરૂરી?
જણાવી દઈએ કે વ્યક્તિના શરીર માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલો ખોરાક જરૂરી છે. પણ ઘણા લોકો આ વાતને ભૂલી જાય છે અને રાત્રે પૂરતી ઉંધ નથી લેતા અને તેને કારણે જ અનેક બીમારીઓની જપેટમાં આવી જાય છે. તમને જણાવી દઈએ કે જે લોકો દરઊજ રાત્રે 6 કલાકથી ઓછી નિંદર કરે છે તેઓ મોટાપો, હાઇ બીપી અને ડાયાબિટીસ જેવી સમસ્યાનો શિકાર બને છે. એવામાં જરૂરી છે કે તમે દરરોજ રાત્રે ઓછામાં ઓછી સાત થી વધુ માં વધુ 10 કલાકની નિંદર લેવી જોઈએ. દરરોજ 7-8 કલાકની ઊંઘ સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે.
ઓછી નિંદર કરવાથી હાર્ટ અટેક આવી શકે છે
અમેરિકા હાર્ટ એસોસિયેશનની એક વેબસાઇટ પર એક વિસ્તૃત રિપોર્ટ આપવાં આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો દરરોજ 6 કલાકથી ઓછી નિંદર લે છે એમને હાર્ટ અટેક આવવાનો ખતરો રહે છે. સાથે જ અનેક બીમારીના શિકાર બની શકે છે. નિંદર સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે. આખા દિવસનો થાક ઉતારવા માટે દરરોજ રાત્રે પૂરતી નિંદર કરવી જરૂરી છે. એક શોધમાં બહાર આવ્યું છે કે જે લોકો દરરોજ રાત્રે 7-8 કલાકની નિંદર નથી લેતા એમને જે લોકો નિંદર કરે છે તેની તુલનામાં સૌથી વધુ હાર્ટ અટેક આવે છે. જો તમને ઓછું સુવાની આદત છે અને તમે દરરોજ નિંદર પૂરની નથી કરતાં તો આજથી જ આ આદતને બદલીને હાર્ટ અટેકનાં ખતરાને મહદ અંશ સુધી ટાળી શકો છો.