પૈસાએ બહુ મહત્વની વસ્તુ છે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે અને ઘણા કહેતા હોય છે કે પૈસા હાથનો મેલ છે આવે ને જાય. પણ એવી નથી હોતું ઉપદેશ અને વાસ્વિકતામાં ઘણો ફરક હોય છે. પૈસા તે દરેક મનની પહેલી જરૂર હોય છે. બધો વ્યવહાર તેનાથી સચવાય છે.
આપણે બધાને ખબર છે કે દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે અર્થાત તેમની કૃપાથી મનુષ્યને ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે. અનેક પૌરાણિક ગ્રંથોમાં દેવી લક્ષ્મી વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવશું કે કેવીરીતે દેવી લક્ષ્મીની અર્ચના કરવાથી તે તમારા પર રાજી રહેશે।
મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે કે પુરુષ ધનં વધઃ અર્થાત લક્ષ્મી (ધન)નો અભાવ હોવો તે મનુષ્ય માટે મૃત્યુનો સંકેત છે. જો મનુષ્ય પર લક્ષ્મીની કૃપા ન હોય તો તમામ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે અને તેમને આત્માને ક્યારે પણ મુક્તિ નથી મળતી.
ઋગ્વેદના શીસૂક્તમાં પણ ભગવતી લક્ષ્મીને પ્રાર્થના કરી હતી કે હે દેવી તમે દરિદ્રતા અલક્ષ્મીનો નાશ કરીને મારા ઘરમાંથી અસમૃદ્ધિને દૂર કરો. ભર્તૃહરિ સંહિતામાં કહેવામાં આવ્યું છે કે જેની પાસે ધન છે તે પંડિત છે તે ગુણી પણ છે તેમજ શ્રેષ્ઠ પણ છે.
મતલબ કે આ બધા ગુણો લક્ષ્મીથી પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની કૃપાથી આ બધા સુખ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્ય તો શું દેવતાઓ પણ પોતાના દેવત્ય કાર્ય પૂર્ણ કરવા માટે લક્ષ્મીની આરાધના કરે છે. લક્ષ્મીજીની પૂજાના નિયમ અને સાવધાની - માં લક્ષ્મીની પૂજા સફેદ અથવા ગુલાબી વસ્ત્ર પહેરીને કરવી જોઈએ.
તેમની પૂજાનો ઉત્તમ સમય હોય છે મધ્ય રાત્રિ. - માં લક્ષ્મીની તે પ્રતિકૃતિની પૂજા કરવી જોઈએ જેમાં તે ગુલાબી પુષ્પમાં બિરાજમાન હોય. સાથે તેમના હાથમાંથી ધન વર્ષા થતી હોય. - માં લક્ષ્મીના મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી તેનાથી તરત અસર થાય છે.
ધનવાન બનવા માટે નીચે આપેલો વિષ્ણુ લક્ષ્મી મંત્રનો જાપ કરવો. ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:। માં લક્ષ્મીના વિશેષ સ્વરૂપના શુક્રવારે પૂજા કરવાથી વિશેષ ધન લાભની પ્રાપ્તિ થાય છે.
વૃષભ કન્યા અને મકર રાશિના લોકો માટે ધન લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી હોય છે. માં લક્ષ્મીના તેવા સ્વરૂપની મૂર્તિ રાખવી જેમાં તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય તેમજ મૂર્તિની સામે દીવો કરવો. તેના પછી અત્તર સમર્પિત કરવું.
તેમજ આ અત્તરને નિયમિત રીતે પ્રયોગ કરવો. કેટલી પણ ધનની સમસ્યા હોય પણ વિધિ પ્રમાણે લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ધનની કમી ક્યારે પણ નહીં આવે.