મોદી સરકારના આર્ટિકલ 370 અને 35A જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવ્યાના ઐતિહાસિક નિર્ણયની અસર પાકિસ્તાનમાં જોવા મળી છે.
પાકિસ્તાનમાં જ્યાં રાજનીતિક રીતે પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાકીની દેશોની મદદ માંગી રહ્યા છે તો બીજી તરફ ક્રિકેટમાં પણ આ નિર્ણયની અસર જોવા મળી રહી છે.
પાકિસ્તાનના પૂર્વ બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરનું માનવુ છે કે, પાકિસ્તાનમાં આઝાદીની અછત છે અને સુરક્ષાની દ્રષ્ટિની પણ ઉણપ જોવા મળી રહી છે. તેમણે આગળ કહ્યુ કે, આ બધી બાબતો આ દેશમાં રહેવાથી તમને 'સૌથી વધારે ચીડિયા' બનાવે છે. ઝિમ્બાબ્વેનો આ પૂર્વ ક્રિકેટર 2014થી પાકિસ્તાની ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો હતો. પાછલા અઠવાડિયે જ પાકિસ્તાની ક્રિકટ બોર્ડ તેને કોન્ટ્રાક્ટ આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો.
એક વેબસાઇટમાં આપેલા ઇન્ટરવ્યૂ અનુસાર, ગ્રાન્ડ ફલાવરે પાકિસ્તાની ટીમ સાથે પોતાનો અનુભવને શૅર કર્યો. જ્યારે ગ્રાન્ટ ફ્લાવરને પાકિસ્તાનમાં રહીને સૌથી ફ્રસ્ટ્રેટિંગ વસ્તુ વિશે પૂછાયું તો જવાબ મળ્યો, ''સુરક્ષા પક્ષ અને આઝાદીની અછત.''
વર્ષ 2009માં પાકિસ્તાની પ્રવાસ પર આવેલી શ્રીલંકાની ટીમ પર આંતકી હુમલો થયો હતો. આ પછી દુનિયાની ઘણી ઓછી ટીમોએ પાકિસ્તાનમાં પ્રવાસ કર્યો છે. જોકે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવવાની બાબતે ફ્લાવર પોતાના કોચિંગ કરિયરની ઉપલબ્ધિ ગણાવી હતી.
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ફ્લાવરને પૂછવામાં આવ્યું કે હવે કઈ બાબતો તે યાદ કરવા નહીં ઈચ્છે? ત્યારે ફ્લાવરે કહ્યુ કે, '' પૂર્વ ખેલાડીઓ દ્વારા પીઠ પર વાર અને ટીવી ચેનલો પાછળ રમાતી રાજનીતિઓને તેઓ ક્યારેય પણ યાદ નહી કરે.''