ચીનને બુધવારે એ પ્રશ્ન ટાળી દીધો કે શું તે વુહાન વાયરોલોજી ઈન્ટિસ્ટ્યૂટથી કોરોનાના લીક થવાના આરોપોની સ્વતંત્ર તપાસની પરવાનગી આપશે કે નહીં. ત્યારે ચીનના શોધાર્થિઓએ દાવો કર્યો છે કે તે સંક્રમણ પૈંગોલિન(એક પ્રકારની ગરોળી)થી મનુષ્યમાં પહોંચ્યો છે. આ દરમિયાન બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને 90 દિવસમાં લેબ લીકને લઈને તપાસ સોંપવામાં આદેશ આપ્યા છે.
સ્વતંત્ર તપાસની માંગ અમેરિકાના નવા રિપોર્ટ બાદ વધારે તેજ થઈ
હકિકતમાં કોરોના વાયરસની ઉત્પત્તિ પર સ્વતંત્ર તપાસની માંગ અમેરિકાના નવા રિપોર્ટ બાદ વધારે તેજ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડબ્લ્યૂઆઈવીના કેટલાક શોધકર્તા ચીન દ્વારા 30 ડિસેમ્બર 2019એ કોવિડ 19ના સત્તાવાર એલાનની પહેલા બિમાર પડ્યા હતા.
તપાસનો પ્રશ્ન ચીને ટાળી દીધો
તપાસની માંગ પર સવાલોના જવાબ આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠના વિશેષજ્ઞ ગ્રુપ દ્વારા કોરોના વાયરસની ઉત્પત્તિ પર કરવામાં આવેલા અઘ્યયનો સંદર્ભ આપ્યો પરંતુ આ પ્રશ્નને ટાળી દીધો કોરોનાના ડબ્લ્યૂઆઈવીથી લીક થવાના આરોપોની તપાસ બેજિંગ પર સહમત થશે કે નહી. આ વિશેષજ્ઞ ગ્રુપે 14 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીની વચ્ચે વુહાન અને ડબ્લ્યુઆઈવીનો પ્રવાસ કર્યો હતો.
ચીને કહ્યુ WHOના એક્સપર્ટ કરી ચૂક્યા છે પ્રવાસ
ઝાઓએ કહ્યું કે ડબ્લ્યૂએચઓના મિશનના વિશેષજ્ઞોએ વુહાનના પ્રવાસ દરમિયાન ક્ષેત્ર નિરિક્ષણ ક્યુ હતુ અને અનેક આંકડા જોયા હતા. જે બાદ સંયુક્ત અધ્યયન જારી કર્યુ હતુ. જેમાં અનેક નિષ્કર્ષ છે.
વાયરસની ઉત્પત્તિના મૂળ સુધી જવાની જરુર
મંગળવારે વોશિંગ્ટનથી આવેલા સમાચારોમાં વ્હાઈટ હાઉસના કોરોના સલાહકાર એન્ડી સ્લાવિટના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આપણે કોરોના વાયરસની ઉત્પત્તિના મૂળ સુધી જવાની જરુર છે. અને ડબ્લ્યૂએચઓ તથા ચીનને વિશ્વ સમુદાયના સ્થાન પરથી ઉતારી દેવું જોઈએ.
ડબ્લ્યૂઆઈવીના મુખ્ય વૈજ્ઞાનિકોએ આની તપાસ કરી હતી
વોલ સ્ટ્રીજ જર્નલે 24 મેના સમાચાર આપ્યા હતા કે એપ્રિલ 2012માં 6 ખાનિક એક ખદાનમાં ગયા બાદ કોરોના વાયરસ જેવી બિમારીથી બિમાર પડી ગયા હતા. આ ખાણ દક્ષિણ પશ્ચિમ ચીનના પહાડોમાં સ્થિત એક ગામની બહાર સ્થિત છે. ડબ્લ્યૂઆઈવીના મુખ્ય વૈજ્ઞાનિકોએ આની તપાસ કરી હતી. ડબ્લ્યૂઆઈવીના શોધાર્થીઓનો હવે દાવો છે કે આ વાયરસ પેંગોલિનથી વધારે નજીક છે.તેના વુહાન લેબમાંથી નિકળવુ શક્ય નથી.