સંશોધકો કોરોનાના દર્દીઓનો ઇલાજ હાર્ટ સેલ થેરાપીથી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ થેરાપીમાં લેબમાં વિકસિત હાર્ટ કોશિકાઓને દર્દીના શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવી છે. કોરોનાથી મરનારા એવા દર્દીઓની સંખ્યા વધુ છે, જેમના શરીરમાં સોજો જોવા મળ્યો હતો. હાર્ટ થેરાપીનો ઉપયોગ આ વધારાના સોજાને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
અમેરિકાના સિડર-સિનાઈ મેડિકલ સેન્ટરના સંશોધનકારોનો દાવોઃ કોઈ પણ દર્દીમાં આડઅસર દેખાઈ નથી
થેરાપીનાં ત્રણ અઠવાડિયાં બાદ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા
શરૂઆતના પ્રયોગમાં તેમાંથી કેટલાક સંક્રમિતો રિકવર થયા છે અને ખૂબ સારાં પરિણામ આવ્યાં છે. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેની ટ્રાયલ મોટા સ્તરે કરવામાં આવશે.
થેરાપીનાં ત્રણ અઠવાડિયાં બાદ તમામ દર્દીઓ ડિસ્ચાર્જ
જર્નલ બેસિક રિસર્ચ ઇન કાર્ડિયોલોજી પત્રિકામાં પ્રકાશિત સંશોધન મુજબ કોરોનાના ૬ દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ હતી. તેમને ઓક્સિજનની સખત જરૂર હતી. આ થેરાપી લેનારા પાંચ દર્દી વેન્ટિલેટર પર હતા અને દર્દીઓની હાલતમાં પણ સુધારો જોવા મળ્યો હતો. એક અન્ય દર્દીને ઓક્સિજનની જરૂર પડી ન હતી. થેરાપીનાં ત્રણ અઠવાડિયાં બાદ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા.
આ થેરાપી કેટલી સુરક્ષિત છે તેની જાણકારી મેળવવાની બાકી
આ પ્રયોગ અમેરિકાના સેડાર-સિનાઇ મેડિકલ સેન્ટરના સંશોધકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે દર્દીઓમાં સારાં પરિણામ જોવા મળ્યાં છે, પરંતુ આ થેરાપી કોરોના પીડિતો માટે કેટલી સુરક્ષિત છે તેની જાણકારી મેળવવાની બાકી છે. રિસર્ચના અંત સુધી કોરોનાના દર્દીઓમાં આ થેરાપીની કોઇ સાઇડ ઇફેક્ટ દેખાઇ ન હતી.
આ થેરાપીમાં કાર્ડિયોસ્ફિટર-ડેરાઇવ્ડ સેલ્સનો પ્રયોગ પણ કરવામાં આવે છે. આ કોશિકાઓ લેબમાં માણસના હ્રદયના ટિશ્યૂમાંથી વિકસાવવામાં આવે છે. શરૂઆતમાં આ થેરાપીનો પ્રયોગ હાર્ટ ફેલ્યોરના દર્દીઓ પર કરવામાં આવતો હતો. ત્યારબાદ તે આખા શરીર માટે મદદરૂપ સાબિત થઇ.