કેન્દ્ર સરકારે દિલ્હીની કેજરીવાલ સરકારની મહત્વકાંક્ષી ઘર ઘર યોજના પર પ્રતિબંધ મૂકી દીધો છે. મંજૂરી વગર આ યોજના શરુ કરાઈ હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે ઘર ઘર રેશન યોજના પર પ્રતિબંધ મૂક્યો
કેજરીવાલ સરકારે આ યોજનાની મંજૂરી ન લીધી-કેન્દ્ર સરકાર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘર ઘર રેશન યોજનાની કેજરીવાલે સરકારે મંજૂરી ન લીધી હોવાથી કેન્દ્ર સરકાર તેને અટકાવી દીધી છે. કેજરીવાલ સરકારે લોકોને ઘેર બેઠા રેશન પહોંચાડવા ઘર ઘર રેશન યોજના શરુ કરી હતી. કેન્દ્ર સરકારને આ યોજનાના નામ પર પણ વાંધો છે.
કેજરીવાલ સરકારની ઘર ઘેર રેશન યોજના પર કેન્દ્ર સરકારને બે વાંધા
કેજરીવાલ સરકારની ઘર ઘેર રેશન યોજના પર કેન્દ્ર સરકારને બે વાંધા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે એનએફએસ કાયદા 2013 હેઠળ અપાઈ રહેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કોઈ રાજ્ય વિશિષ્ટ યોજના ચલાવવા માટે ન કરી શકાય. કેન્દ્રને બીજો વાંધો એ છે કે દિલ્હી સરકાર દ્વારા એનએફએસએ ખાદ્યાન્ન વિતરણ માટે નવુ નામકરણ કે યોજનાના નામના ઉપયોગની મંજૂરી નથી.
આમ આદમી પાર્ટીએ કેન્દ્રના પગલાંને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું
ઘર ઘર રેશન પહોંચાડવાની યોજના પરના કેન્દ્રના પ્રતિબંધને આમ આદમી પાર્ટીએ રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે.આપ નેતા ઈમરાન હુસે જણાવ્યું કે કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે આ ક્રાંતિકારી યોજનાનો અમલ અટકાવવો ગળે ઉતરતો નથી. આ કેસમાં બે સુનાવણી તો પહેલા થઈ ચૂકી છે અને કોર્ટે પણ કોઈ સ્ટે આપ્યો નથી. કેન્દ્ર સરકાર પણ આ કેસમાં એક પાર્ટી છે અને તેના એફિડેવિટમા પણ કેન્દ્ર સરકારે આ યોજના શરુ કરવા પર કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
ઘર ઘર યોજના પર કેન્દ્રના પ્રતિબંધ બાદ સીએમ કેજરીવાલ આવતીકાલે 11 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. બીજી તરફ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેંજલે એવું જણાવ્યું કે આ યોજના પુનવિચારણા માટે પરત મોકલાઈ છે તેને રદ કરાઈ નથી.