સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેનાં ગ્રાહકો માટે કેવાયસી પ્રક્રિયાને ફરજિયાત કરી દીધી છે. જેનો અર્થ છે કે હવે વગર કેવાયસીએ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાશે નહીં.
કેવાયસી વગરના ખાતને નિષ્ક્રિય કરી દેવામાં આવશે
ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે કેવાયસી
સરકારી યોજનાનાં પૈસ પણ ટ્રાન્સફર નથી કરવામાં આવતા
કેવાયસી ફરજિયાત
એસબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કેવાયસી વગરના ખાતને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. જો તમે તમારા ખાતાને કેવાયસી નથી કરાવ્યુ તો તમને જણાવી દઈએ કે કેવાયસી ક્યાં અને કેવી રીતે તમારા જરુરી કામને સરળતાથી કરવામાં મદદરુપ થશે.
પાન અને આધાર કાર્ડથી થશે
બેંકિંગને વધારે સુરક્ષિત બનાવવા માટે કેવાયસી વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત ખાતાધારકને બેંક પાસે પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ મોકલવાનું રહેશે. આ કામને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે. ફ્રોડ લોકોની ઓળખ કરવા માટે બેંકિંગને વધારે સુરક્ષિત બનાવવાનાં આશયથી આ વ્યવસ્થા શરુ કરાઈ છે.
બેંકની વેબસાઇટ પરથી પણ કરી શકાશે
તમારુ ખાતુ જે પણ બેંકમાં હોય તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આ કામ કરી શકો છો. અપડેટ યોર કેવાયસી સેગમેન્ટમાં જઈને તમે તમારા નામની અને સરનામાની સાચી માહિતી આપી શકશો અને આધાર-પાન કાર્ડની કોપી પણ અપલોડ કરી શકશો. થોડીજ મીનિટોમાં આ કામ ઘરે બેઠા થઈ જશે. બેંક ખાતાધારક પોતાની બેંકની બ્રાન્ચમાં જઈને પણ આ કામ કરી શકે છે. તેના માટે બેંકમાં જઈને આધાર પાન કાર્ડની કોપી જમા કરવાની રહેશે. દસ્તાવેજ યોગ્ય હોવા પર તમારુ કેવાયસી અપડેટ કરી દેવામાં આવશે. જેની જાણકારી તમને તમારા મોબાઈલ પર આવી જશે.
સરકારી પૈસા પણ અટકી જશે
જો તમે તમારુ ખાતુ કેવાયસી નથી કરાવ્યું તો જલ્દી કરાવી લો. કેવાયસી વગરનાં ખાતામાં સરકારી યોજનાનાં પૈસ પણ ટ્રાન્સફર નથી કરવામાં આવતા. પીએમ કિસાન સન્માન નિધીનો આગામી હપ્તો આવવાનો છે. જો કેવાયસી અપડેટ નહીં હોય તો તે યોજનાનાં પેસા તમારા ખાતમાં પહોંચશે નહીં.