કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે એમપી કોટાને ખતમ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સંશોધિત એડમિશન ગાઈડલાઈન અંતર્ગત સાંસદોના કોટાને ખતમ કરી દીધું છે.
કેન્દ્રીય વિદ્યાલયમાં એમપી કોટા ખતમ કર્યો
આ બાળકોને હવે ફ્રીમાં મળશે એડમિશન
સરકારે લીધો મોટો નિર્ણય
કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે એમપી કોટાને ખતમ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સંશોધિત એડમિશન ગાઈડલાઈન અંતર્ગત સાંસદોના કોટાને ખતમ કરી દીધું છે. સાથે જ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોવિડ 19 મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને કેન્દ્રીય વિદ્યાલયના કોઈ પણ ધોરણમાં ફ્રીમાં એડમિશન મળશે. નવી ગાઈડલાઈન અનુસાર કોરોના મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને પહેલાથી બારમા ધોરણ સુધી ટ્યૂશન ફ્રી, કોમ્પ્યુટર ફંડ અને વીવીએનની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.
પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે નિયમ અનુસાર દરેક લોકસભા સાંસદ પોતાના મતવિસ્તારની કોઈ પણ કેન્દ્રીય વિદ્યાલયમાં 10 વિદ્યાર્થીઓની ભલામણ કરી શકતા હતા. તો વળી કોઈ પણ રાજ્યસભા સભ્યો પણ તે રાજ્યમાં કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ભલામણ કરી શકતા હતા. જ્યાંથી તેઓ ચૂંટાયા હોય.
આ બાળકોને મળશે પ્રાથમિકતા
કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકો, જેમનું મોત થઈ ગયું છે. તેમને પણ કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર, સેના પદક, નૌસેના પદક, વાયુ સેના પદક પ્રાપ્તકર્તાઓના બાળકોને પણ એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક અને વીરતા માટે પોલીસ પદક પ્રાપ્ત કરનારા બાળોકને પણ સેન્ટ્રલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે.
સશસ્ત્ર દળના શિક્ષણ નિર્દેશાલય એટલે કે, સેના, વાયુસેના, નૌસેના અને તટરક્ષક દળના 10માં અને 12 ધોરણ છોડીને રક્ષા ક્ષેત્રની કેન્દ્રીય વિદ્યાલયોમાં એક શૈક્ષણિક વર્ષમાં પોતાના રક્ષા કર્મીઓના બાળકોના પ્રવેશ માટે વધારામાં વધારે 6 નામોની ભલામણ કરી શકે છે.
સરકાર દ્વારા આયોજીત એસજીએફઆઈ, સીબીએસઈ, રાષ્ટ્રીય, રાજ્ય સ્તરીય રમતમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનારા મેધાવી ખેલાડીઓને એડમિશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
એવા બાળકો જે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અથવા રાષ્ટ્રીય બાલ ભવન દ્વારા સ્થાપિત બાલશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરી ચુક્યા છે. તેમને પણ કેવીએસમાં એડમિશન માટે પ્રાથમિકતા આપવામા આવશે. વધું જાણકારી માટે વેબસાઈટ kvsangathan.nic.in પર નોટિસ જોઈ શકાશે.