પયગંબર મહોમ્મદ પર બે ભાજપના પ્રવક્તાઓએ કરેલી ટિપ્પણીને લઈને ખાડી દેશોની નારાજગી વધતી જાય છે. કુવૈતમાં એક સુપરમાર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટ્સને હટાવી દીધી છે.
પયગંબર મહોમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ફજેતી થઈ
ખાડી દેશોમાં ભાજપના નેતા વિરુદ્ધ આક્રોશ
કુવૈતના એક સુપરમાર્કેટમાં ભારતીય વસ્તુઓ હટાવી દીધી
પયગંબર મહોમ્મદ પર બે ભાજપના પ્રવક્તાઓએ કરેલી ટિપ્પણીને લઈને ખાડી દેશોની નારાજગી વધતી જાય છે. કુવૈતમાં એક સુપરમાર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટ્સને હટાવી દીધી છે. પયગંબર મોહમ્મદ પર ભાજપના એક નેતાની ટિપ્પણીને લઈને ભારતીય રાજદૂતને બોલાવીને ઈરાન, મધ્ય પૂર્વનો નવો દેશ બની ગયો છે. કમેન્ટ્સને ઈસ્લામ વિરુદ્ધ ગણાવતા અલ અરદિયા કો ઓપરેટિવ સોસાયટીના સ્ટોર્સે ભારતીય ચા અને અન્ય વસ્તુઓને ટ્રોલીમાં જમા કરી દીઘી છે. સઉદી અરબ, કતાર અને અન્ય દેશો ઉપરાંત ઈજિપ્તમાં આવેલ અલ અઝહર યુનિવર્સિટીએ ભાજપ પ્રવક્તાના નિવેદન પર કડક શબ્દોમાં ટિકા કરી છે. પાછળથી ફજેતો થતાં ભાજપે પોતાના પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. કુવૈત સિટીની બહાર આવેલા સુપરમાર્કેટમાં ચોખાની બોરીઓ, મસાલા અને મરચાના પેકેટને ઉતારી તેના પર પ્લાસ્ટિકથી ઢાંકી દેવામા આવ્યા છે. અરબી ભાષામાં લખેલા મેસેજમાં વાંચી શકાય છે કે, અમે ભારતીય વસ્તુઓને હટાવી દીધી છે.
ઈન્ડિયન પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે
આ સ્ટોરના મુખ્ય કાર્યકારી અધિકારી નસીર અલ મુતાઈરીએ જણાવ્યું છે કે, કુવૈતી મુસ્લિમ તરીકે અમે પયગંબરનું અપમાન સહન કરી શકતા નથી. આ ચેઈનના એક અધિકારીએ કહ્યું કે, કંપની સ્તર પર બહિષ્કાર પર પણ વિચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માની કમેન્ટને લઈને મુસ્લિમોમાં અત્યંત નારાજગી છે. ગત અઠવાડીયે ટીબી ડિબેટમાં નુપુર શર્માની આ ટિપ્પણીને લઈને ઉત્તર પ્રદેશમાં થયેલી અથડામણનું કારણ ગણાવામાં આવે છે. આ પ્રદર્શનમાં તેની ધરપકડની પણ માગ થઈ હતી.
VIDEO: Superstores in Kuwait remove Indian products from their shelves after remarks on the Prophet Mohammed by an official in India's ruling party prompted calls on social media to boycott Indian goods pic.twitter.com/AD1J3wTY2g
ભારત સરકારે આ કમેન્ટને અનુચિત અને સંકીર્ણ માનસિકતાવાળી કહી છે. વિદેશ મંત્રાલયના અધિકારીક પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, નવી દિલ્હી તમામ ધર્મો પ્રત્યે સર્વોચ્ચત્તમ સન્માનનો ભાવ રાખે છે. તેમણે કહ્યું કે, અમુક વ્યક્તિઓ દ્વારા એક પૂજનિય હસ્તી વિરુદ્ધ આક્રમક ટ્વિટ તથા અમર્યાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણી કોઈ પણ રીતે ભારત સરકારના વિચારોને પ્રદર્શિત કરતી નથી. તેમણે કહ્યું કે, સંબંધિત એકમો દ્વારા આ લોકો વિરુદ્ધ પહેલાથી જ કડક કાર્યવાહી થઈ ચુકી છે.