કોરોનાએ મિડલ ઈસ્ટના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખી છે. તેલ પર નિર્ભર દેશોની અર્થવ્યવસ્થાની સ્થિતિ વધારે નબળી થઈ ગઈ છે. ત્યારે ત્યાની સરકાર પ્રવાસી મજૂરોને લઈને નિયમો કડક બનાવી રહી છે. જેથી સ્થાનિકોને રોજગાર મળી શકે. આ ક્રમમાં કુવેત નવો કાયદો લાવ્યું છે. જેની અસર 8 લાખ ભારતીયો પર થઈ શકે છે. બેરોજગારી ઘટાડવા કુવૈત કડક પગલા ભરશે.
25 વર્ષથી કુવૈતમાં રહીએ છીએ પણ આ નવો કાયદો તેમને ડરાવી રહ્યો છે
2017માં કુવૈતથી ભારતીયોએ 4.6 અરબ ડૉલર ભારત મોકલ્યા હતા
15 ટકાને ત્યાં રોકાવા મળે તો પણ 8 લાખને પરત ફરવું પડશે.
કુવૈત ટાઈમ્સના જણાવ્યાનુંસાર કુવૈત નેશનલ એસેમ્બલીએ પ્રવાસી મજૂરોની સંખ્યાને મર્યાતિદ કરવાનો મુસદ્દો તૈયાર કરી લીધો છે. આ કાયદામાં કુવૈતમાં પ્રવાસી મજુરેની સંખ્યાને મર્યાદિત કરવામાં આવશે. આને આવનારા 6 મહિનામાં અમલમાં મુકવામાં આવશે. પહેલા કેવામાં આવતુ હતું કે વિઝા રદ્દ કરવા જેવી કોઈ વાત નથી પણ હવે નવા મુસદ્દા મુજબ ખાસ વિઝાની માન્યાતા રદ્દ કરવાનો પણ પ્રસ્તાવ છે. રિપોર્ટ મુજબ 10 અલગ અલગ કેટેગરીમાં છુટ અપાશે. આ છુટ ઘરમાં કામ કરનાર, મેડિકલ સ્ટાફ, શિક્ષક અને જીસીસીના નાગરિકોને મળે.
ટ્રાવેલ વિઝાને વર્ક પરમિટમાં બદલવામાં નહીં આવે. આ ઉપરાંત ડોમેસ્ટિક હેલ્પર પ્રાઈવેટ અથવા ઓઈલ સેક્ટરમાં કામ નહી કરી શકે. આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીયો પર થશે. ત્યાં રહતા એક ભારતીયએ જણાવ્યું કે 25 વર્ષથી કુવૈતમાં રહીએ છીએ પણ આ નવો કાયદો તેમને ડરાવી રહ્યો છે. આ બિલના અમલમાં આવતા 8 લાખ ભારતીયોએ કુવૈત છોડવુ પડશે. 40 લાખની વસ્તીમાં 70 ટકા પ્રવાસી છે. આ બિલનું લક્ષ્ય 30 ટકા પ્રવાસી કરવાનું છે. 40 લાખની વસ્તીમાં 10 લાખ ભારતીય છે. 15 ટકાને ત્યાં રોકાવા મળે તો પણ 8 લાખને પરત ફરવું પડશે.
ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મિસ્રના લોકો પણ છે. ભારત સરકાર કુવૈતના બિલથી ચિંતિત છે. ગત મહિને ભારત સરકારે કહ્યું હતું કે ખાડીના દેશમાં ભારતીયોની મહત્વની ભૂમિકા રહી છે. આ વાત ત્યાની સરકાર સ્વીકારે પણ છે. અમે કુવૈતના આ મુસદ્દા પર વાત કરી છે. ભારત માટે વિદેશી મુદ્વા મહત્વનો સ્ત્રોત છે. પ્યૂ રિસર્ચના ડેટા મુજબ 2017માં કુવૈતથી ભારતીયોએ 4.6 અરબ ડૉલર ભારત મોકલ્યા હતા. કુવૈતમાં લગહભગ 3 લાખ ભારતીય ડ્રાઈવર, રસોઈયા અને કેરટેકરનું કામ કરે છે.