કોરોના વાયરસની મહામારી વચ્ચે કુવૈતની નેશનલ એસેંબલીની કાનૂની અને વિધાનસભા સમિતિએ વિદેશી શ્રમિકોની સંખ્યા ઘટાડવા માટે એક બિલના ડ્રાફટને મંજૂરી આપી દીધી છે. જો કાયદો પસાર થઇ જશે તો ઓછામાં ઓછા 7 લાખ ભારતીયોને ખાડી દેશ છોડવાનો નિર્ણય લેવો પડે તેવી શક્યતા છે.
મીડિયામાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર સમિતિએ ડ્રાફ્ટ એક્સપેટ કોટા બિલને બંધારણીય કરાર આપવામાં આવ્યો છે. આ બિલમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે ભારતીયોની સંખ્યા દેશમાં 48 લાખ જનસંખ્યા 15 ટકાથી વધારે ન હોવી જોઇએ.
કુવેતમાં 14 લાખ ભારતીયો
કુવૈતમાં ભારતીયોની સંખ્યા 14 લાખ છે. આ મિસ્ર પછી સૌથી વધારે છે. આ બિલમાં અન્ય રાષ્ટ્રોના સંબંધિત લોકો માટે પણ આ પ્રકારનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. કુવૈતમાં ત્યાંના નાગરિકો જ લઘુમતી બનીને રહી ગયા છે. એવામાં દેશની સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બિલને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે કુવૈત હવે એવુ રાષ્ટ્ર બનવા નથી ઇચ્છતું કે ત્યાં બીજા દેશના લોકો બહુસંખ્યક થાય અને સાથે કુવૈત વિદેશી શ્રમિકો પરની નિર્ભરતાને ઓછી કરવા ઇચ્છે છે.
30 ટકા સુધી સીમિત કરવામાં આવસે પ્રવાસીઓની સંખ્યા
કોરોના મહામારી પછી કુવૈતના નીતિ નિર્માતા અને સરકારી અધિકારીઓએ પ્રવાસીઓના વિરોધીના વિરોધથી જોડાયેલ આ નિવેદનબાજી શરૂ કરી દીધી હતી. કુવૈતના પ્રધાનમંત્રી શેખ સબા અલ ખાલિદ અલ સબાહે કથિત રીતે કુવૈતની કુલ જનસંખ્યાના 70 ટકાથી 30 ટકા સુધી પ્રવાસીઓની સંખ્યાને ઓછા કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.