કચ્છ: રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછા વરસાદના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો છે. ઓછાં વરસાદના કારણે આ વિસ્તારમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી અછત અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને કચ્છમાં તથા ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે કચ્છના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત જોવા મળી રહી છે. ગત વર્ષે ઉત્તર ગુજરાતમાં લીલો દુકાળ પડ્યો હતો. જેમાં મોટા ભાગના વિસ્તારમાં પાક ધોવાઇ ગયો હતો તો કેટલાય ગામોમાં પાણી ફરી વળતા લોકો પણ પરેશાન થયા હતા.
Gujarat CM Shri @vijayrupanibjp declares Kutch as scarcity affected district with implementation from 1st October and also announces new drinking water pipeline projects worth Rs.296-Cr for Kutch after reviewing the situation in a meeting held at Bhuj today pic.twitter.com/MyzwHShwL4
તો આ તરફ કચ્છમાં પાણીની સમસ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સૂચના આપી હતી. જેને લઈને ટપ્પર ડેમને 500 મિલિયન કયુબેક ફીટ પાણીથી ભરી દેવામાં આવ્યું હતું.
પરંતુ તેમ છતાં પાણીની સમસ્યાનો સામનો કચ્છની પ્રજાનો કરવો પડ્યો છે. ત્યારે આજરોજ રાજ્યના વડાપ્રધાને કચ્છમાં તથા ઉત્તર ગુજરાતના 14 જિલ્લામાં ઓછા પડેલ વરસાદ મામલે કહ્યું હતું કે આગામી 1 ઓક્ટોબરથી અછત અંગેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે.