પ્રધાનમંત્રી મોદી કહે છે અમે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું. પરંતુ ખુદ તેમના જ રાજમાં ભાજપ હસ્તકની જિલ્લા પંચાયતમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાજપ હસ્તકની કચ્છ જિલ્લા પંચાયતમાં ફરી મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.
આ કૌભાંડ છે શાળાઓમાં લગાવવામાં આવતા CCTV કેમેરાનું. જિલ્લા પંચાયત દ્વારા શાળાઓમાં 185 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ જે કેમેરા લગાવવામાં આવ્યા છે.તેના એક સેટની કિંમત માત્ર 26 હજાર રૂપિયા જ થાય છે.
જ્યારે સત્તાધિશો સાથેની સાંઠગાઠમાં એજન્સીઓને કેમેરાના એક સેટ દીઠ જિલ્લા પંચાયતે 78 હજાર ચૂકવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ સામે આક્ષેપો પણ લાગી રહ્યા છે.. સાથે જ અધિકારીઓની સાંઠગાંઠ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પરંતુ સત્તાપક્ષ આ મુદ્દે ચુપી સાધીને બેઠું છે.
આ સમગ્ર કૌભાંડને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગે જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત દ્વારા કુલ 185 કેમેરા ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 105 CCTV કેમેરા ગ્રામ્ય વિસ્તારોમાં અને 80 કેમેરા શહેરી વિસ્તારમાં લગાવાયા છે.
CCTV કેમેરાના એક સેટની કિંમત ગ્રામ્ય વિસ્તારોમાં 72 હજાર જ્યારે શહેરી વિસ્તારોમાં 79 હજાર આંકવામાં આવી છે. અહીં ભ્રષ્ટાચારીઓએ 1 કેમેરાના 10 500 ચૂકવ્યા છે. જેની બજાર કિંમત 1500 રૂપિયા થાય છે.. એટલે કે 1 કેમેરા પાછળ 9 હજારનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
બીજી તરફ આ ચારેય કેમેરાના DVRની કિંમત 9 500 રૂપિયા ચૂકવાય છે. જે બજારમાં 3500 રૂપિયાની કિંમતે મળે છે. એટલે કે અહીં પણ 6 હજારનો ભ્રષ્ટાચાર આચરાયો. આમ કેમેરા અને DVR પાછળ 27 લાખ 75 હજારનો ભ્રષ્ટાચાર કરાયો.
મહત્વનું છે કે કોઈપણ એજન્સી આ રીતે ભ્રષ્ટાચારને અંજામ ન આપી શકે. આની પાછળ ચોક્કસ પણે રાજકીય નેતાઓ અને અધિકારીઓની મીલીભગત છે. પરંતુ આ ભ્રષ્ટાચારમાં પોતાના જ નેતાઓની મીલિભગતના ડરથી ભાજપના પદાધિકારીઓ કોઈ પગલા નથી ભરી રહ્યા. ત્યારે આસા રાખીએ કે સત્તા પર બેસેલા નેતાઓ ગુનેગારોને છાવરવાની જગ્યાએ તેમની સામે કડક પગલા ભરે.