કચ્છના ભચાઉમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની વિગત એવી છે કે કચ્છના ભચાઉના માનસરોવર વિસ્તારમાં મહેશ કોળી નામના એક યુવકની હત્યા કરી દેવાઈ હતી.
ત્યારે પોલીસે આ મામલે ભચાઉમાંથી સબીર નામના આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ પકડથી હજુ પણ બે આરોપીઓ દૂર છે. પરંતુ પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હતી.
ત્યારે પોલીસ પકડથી દૂર બે આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. બંને આરોપીઓને પકડવા માટે પોલીસે પણ પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ, ધરપકડ કરવામાં આવેલા આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.