કચ્છમાં રમઝાન ઈદે મુસ્લિમ પરિવારમાં કરૂણાંતિકા ઘટના સર્જાઈ હતી.જયાં બે પરિવારના મકાનના ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણા કરતા માતા દીકરીનું મોતનું કારણ ઝઘડો બન્યો છે. વંડી ફળીયામાં રહેણાંક મકાનમાં મોડી રાત્રે પરિવારના સભ્યોએ પેટ્રોલ છાંટી આગ લગાડતા માતા અને દીકરીનું મોત થયું હતું.
મોટાભાઈએ નાના ભાઈના મકાનમાં એક મકાન માટે આગ લગાડી હતી. જયાં મકાનમાં સુઈ રહેલા માતા દિકરીનું મોત થયું હતું અને પરિવારના અન્ય ત્રણ સભ્યોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા.
આ ઘટનાને પગલે પિતાની હાલત અત્યંત ગંભીર છે. આગ ચાંપનાર આરોપી ભાઈ પોતે પણ દાઝી ગયો છે. મુસ્લિમ પરિવારમાં બે ભાઈઓ વચ્ચે મકાનને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ઘટના અંગે ભોગ બનનાર પરિવારની પુત્રીએ ભુજ એ ડિવિઝનમાં પોલીસ મથકે મોટા બાપા વિરૂદ્વ હત્યા અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
હાલ પોલીસે ડબલ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી પણ ઘટનામાં દાઝી જતા સારવાર હેઠળ છે. પોલીસે એફએસએલ મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.