કચ્છના ગાંધીધામના આર્મીના કર્નલ સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. પેન્શન પોલિસીના નામે નિવૃત આર્મી ઓફિસર ઠગાઈ થઈ છે.
30 લાખ 34 હજારની નિવૃત આર્મી ઓફિસર સાથે ઠગાઈ થઈ છે. RBI ઈન્કમટેક્ષ નાણામંત્રાલયના અધિકારીની ઓળખ આપીને 9 શખ્સોએ ઠગાઈ કરી હતી. કર્નલે 9 અધિકારી તરીકે ઓળખ આપનાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ યશવંતસિંઘ નામના વ્યક્તિ આર્મીમાં કર્નલ તરીકે ફરજ બજાવી ૧૯૯૭માં નિવૃત થયા હતા. તેમની સાથે તાજેતરમાં છેતરપિંડીની ઘટના બની હતી. આ સાથે જ 9 શખ્સોએ કર્નલ પાસેથી રૂપિયા 30 લાખ 34ની ઠગાઇ કરી હતી.
આ ઘટના અંગેની ફરિયાદ કર્નલ યશવંતસિંઘે સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી છે. કર્નલે ઠગાઇ કરનાર હરીશચંદ્ર અનેજા શ્વેતા અરોરા ડી. કે. ભારદ્વાજ મદનપુરી રવી પંડયા અખિલેશ ચેતન શર્મા એચ. કે. વલેચા અમિત શર્મા સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જેની પોલીસે નોંધ લઇ તપાસ હાથ ધરી છે.