કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યું થતા પોલીસ સામે સવાલ ઉઠી રહ્યાં છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી હતી. જો કે પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ ઉઠી હતી.
કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ
ઘરફોડ ચોરીના કેસમાં યુવકની ચાલી રહી હતી પૂછપરછ
સમાઘોઘા ગામના અરજણ ગઢવીનું પૂછપરછમાં માર મારતા મૃત્યુ
કચ્છના મુન્દ્રા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન યુવકનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘરફોડ ચોરીના કેસમાં યુવકની પૂછપરછ ચાલી રહી હતી. સમાઘોઘા ગામના અરજણ ગઢવીનું પૂછપરછ દરમિયાન માર મારતા મૃત્યુ થયું છે.
પૂછપરછ દરમિયાન યુવકને છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે યુવકને ગોંધી રાખીને હત્યા કરી હોવાના આરોપ પણ લગાવ્યો છે.
યુવકનું મૃત્યુ થતાં મુન્દ્રા પોલીસના 3 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદીપસિંહ ઝાલા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સળગતા સવાલ
પોલીસ આટલી હદે અમાનુષી કેમ બની?
પૂછપરછ દરમિયાન પોલીસને માર મારવાની સત્તા છે?
આરોપીએ પોલીસકર્મી સાથે કોઈ ગેરવર્તણૂંક કરી હતી?
કાયદાના રક્ષકોએ કાયદો કેમ તોડ્યો?
આરોપીને ગુદાના ભાગ સુધી મારવા સુધીની ક્રૂરતા કેમ આચરી?
આવા પોલીસકર્મીઓ કોઈ ગુંડાથી કમ કહેવાય ખરા?
ગુજરાતના પોલીસવડા આ અમાનુષી અત્યાચાર સામે પગલા લેશે?