ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવાત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કચ્છના રાપર તાલુકાાં મોટી હમીરપર ગામમાં જૂની અદાવતમાં એક સાથે 5 લોકોની હત્યા કરવામાં આવતાં એકબાજુ કોરોનાને લઇને લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહેલા દાવાઓ સાવ પોકળ સાબિત થયા હોવાનું જોવા મળ્યું. રાજ્યના સીમાડાઓ સુધી લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો હોવાના દાવા વચ્ચે એક સાથે 5 લોકોની હત્યા કરતા રાજ્યમાં ચકચાર મચી જોવા મળી હતી. જે કે 5 લોકોની હત્યા કરનારો ઝડપાયો છે.
લોહિયાળ હત્યાકાંડ આરોપી પાટણ જિલ્લાના સાંતલપુરના ડાલડી ગામ થી ઝડપાયો
સાંતલપુર પોલીસ દ્વારા હત્યારા ની પૂછતાછ હાથ ધરવામાં આવી
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગઇકાલે કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપર ગામમાં પાંચને રહેંસી નાંખનારો પાટણ જિલ્લાના સાંતલપુરના ડાલડી ગામથી ઝડપાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કચ્છમાં ગઇકાલે બે જૂથો વચ્ચ લોહિયાળ જૂથ અથડામણ જોવા મળી હતી.
ગઇકાલે કચ્છના રાપર તાલુકાના હમીરપર સશસ્ત્ર લોહિયાળ હત્યાકાંડનો આરોપી પાટણના ડાલડી ગામથી ઝડપાયો છે. ગઇકાલે કચ્છના વાગડ વિસ્તારમાં બર બપોરે કોળી અને રાજપૂત સમાજ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં પાંચ લોકોની હત્યા કરી હત્યારો ઇસમ ભાગી છૂટ્યો હતો.
જો કે આ હત્યારો પાટણ જિલ્લાના સાંતલપુરના ડાલડી ગામથી ઝડપાયો છે. જો કે હાલ સાંતલપુર પોલીસ દ્વારા હત્યારાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગઇકાલે જોવા મળેલી જૂથ અથડામણમાં 5 લોકોની હત્યા થઇ હતી. જો કે હજી સુધી હત્યા કરવાનું રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે.
ક્ચ્છ વિશેષ નોંધ
આ બનાવે કચ્છને ભૂતકાળમાં ઘટેલાં કેટલાંક સામૂહિક હત્યાકાંડની યાદ તાજી કરાવી દીધી છે. રાપરમાં જ વીસ વર્ષ અગાઉ 13 જૂન 2001નાં રોજ સૂરબાવાંઢ ખાતે જૂની અદાવતમાં એક જ પરિવારના નવ-નવ લોકોની પચાસેક જણનાં ટોળાએ ઘાતકી હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડમાં 2008માં કૉર્ટે બે મહિલા સહિત 25 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી અને 21 જણને નિર્દોષ મુક્ત કર્યાં હતા.
બે આરોપીના ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યાં હતા. તો, 7મી ઑગસ્ટ 2015માં પાટણની પીપરાળા ચેકપોસ્ટ ખાતે ‘ખૂન કા બદલા ખૂન’ની તર્જ પર હત્યા કેસના આરોપી સહિત ત્રણ સગા ભાઈને અંધાધૂંધ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારાયાં હતા. બાદમાં આ ત્રણેય કોળી ભાઈઓની લાશને ખેડૂકાવાંઢ ખાતે લાવી પેટ્રોલ છાંટી-ટાયરો મૂકી આરોપીઓએ સળગાવી દીધી હતી.
મુંદરાના છસરા ગામે ગત 23 ઓક્ટોબર 2018ની મધરાત્રે સરપંચની ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આહીર પરિવારના ચાર યુવકો અને મુસ્લિમ પરિવારના દાદા-પૌત્ર સહિત કુલ 6 જણની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી.