કચ્છના માંડવીનું જહાજ ઓમાનના દરિયામાં ડુબી ગયુ હતુ પણ સદ્ભભાગ્યે તેમાં સવાર દસ ખલાસીઓને ઓમાન નેવીએ બચાવી લીધા છે. આ દુર્ઘટનાને પગલે કચ્છથી ઓમાન સુધી દરિયો ખેડી રહેલા જહાજના દિશા સૂચન અને વાતાવરણ માટે એલર્ટ આપી દેવામાં આવ્યા છે.
સલાલા બંદર નજીક ડૂબ્યું વહાણ
અબ્દુલ કરીન નામનું વહાણ ડૂબ્યું
10 ખલાસીઓને બચાવી લેવાયાં
ક્ચ્છના માંડવીના મોટા સલાયાનું વહાણ ડૂબવાની દુર્ઘટના ઘટી હતી જેને પગલે ઓમાન નેવી તંત્ર તુરંત જ હરકતમાં આવી ગયુ હતુ અને સમયસર મદદ મોકલાઈ હતી. વહાણમાં ડુબતા 10 ખલાસીઓનો આબાદ બચાવ થઈ ગયો હતો. આ દુર્ઘટના ઓમાનના દરિયામાં ઘટી હતી.
ક્યાનું હતુ વહાણ
કચ્છના મોટા સલાયાનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું છે. ઓમાનના સલાલા બંદર નજીક અબ્દુલ કરીન નામનું વહાણ ડૂબ્યું છે. વહાણ ડુબતા 10 ખલાસીઓને ઓમાનની નેવી દ્વારા બચાવી લેવાયાં છે. તોફાની દરિયામાં જહાજ ડુબ્યુ હતુ.
ક્યાં ડુબ્યુ
ઓમાનના સલાલા બંદર નજીક વહાણ ડુબી રહ્યુ હતુ પરંતુ તુંરત જ ઓમાનની નેવી મદદે આવી હતી અને ડૂબતા વહાણમાંથી 10 ખલાસીઓનો બચાવી લેવામાં આવ્યા હતા.