કચ્છ:ભારતીય સેનામાં ફરજ બજાવતા કચ્છના યુવાન શહીદ થયા છે. હરદીપસિંહ ઝાલા નામના જવાન શહીદ થયા છે.પઠાનકોટ પંજાબ આતંકી હુમલામાં શહીદ થયા છે.હરદીપસિંહ ઝાલા માંડવીના તલવાણા ગામના વતની હતા.
મૂળ તલવાણાના ક્ષત્રિય યુવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાએ સીમાપારની ગોળીબારીમાં ઘાયલ થઇને શનિવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા.
રવિવારે બપોરે વિશેષ વિમાન દ્વારા તેમનો પાર્થિવ હેદ માદરે વતન લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જવાનની શહીદીથી તલવાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઝરપરાના વીર શહીદ માણશી ગઢવી પછી કચ્છના એક વધુ યુવાને રાષ્ટ્રની રક્ષા માટે શહીદી વહોરી છે.
જવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા આઠમી જાન્યુઆરી સોમવારે રાત્રે ફરજ પર હતા ત્યારે તેમના યુનિટ એમ-80 ટીપીટી પર પાકિસ્તાન તરફથી આવેલી ગોળીથી આંખના ભાગે ઘાયલ થયા હતા. ત્યાંથી તેમને ઘાયલ અવસ્થામાં લશ્કરી હોસ્પિટલ પઠાણકોટ ખસેડાયા હતા.
ત્યાંથી 10મી જાન્યુઆરી બુધવારે વધુ સારવાર માટે પંચકૂલા વેસ્ટર્ન કમાન્ડ ચંડી મંદિર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શહીદ હરદીપસિંહ ઝાલાની ફેબ્રુઆરીમાં સગાઈ થવાની હતી પરંતુ તે પહેલા જ વીરગતિને પામ્યા છે.