કચ્છઃ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના એડિશનલ ડાયરેક્ટર યોગેન્દ્ર ગર્ગ સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી અંગે ઓપન હાઉસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વેપાર કરો સહકાર આપી અને જીએસટીને વધુ સારો કાયદો બનાવવાની તક આપવા ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી.
તંત્ર સાથે સંવાદ સાધશો તો સમસ્યા ઘટશે અને જેમ જેમ ટેક્સની આવક વધશે તેમ તેમ વેરાના દરમાં ઘટાડો થતો રહેશે. રીફંડ ઇ-વે બીલ વગેરે જેવી કેટલીક સેવાઓમાં ઓનલાઇન થોડી મુશ્કેલી થઇ તેમ તેમાં તંત્ર દ્વારા સુધારા ફેરફાર કરાય તેવી ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી.
ગર્ગે કહ્યું હતું કે કચ્છમાંથી જીએસટીને લઇને મોટી મુશ્કેલીઓ સામે નથી આવી જે આનંદની વાત છે. જીએસટી માટેની અલગ અલગ તાલીમ જાહેર ખબરો પાછળ 250 કરોડ જેટલો ખર્ચ કરાયો છે. ગુજરાતએ દેશમાં જીએસટી ભરવામાં પાંચમા નંબર પર અને પંજાબ એ દેશમાં મોખરે છે.