કચ્છના ભાનાળામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ફાયરિંગ જમીનની અંગત અદાવતમાં થયું હતું. જેમાં એકનું મોટ થયું છે અને બે ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.
સમગ્ર ઘટના વિશે જણાવીયે તો આ ફાયરિંગ પિતા અને બે દિકરા ઉપર કરાયું હતું. જે ઘટનામાં પિતાનું મોત થયુ હતું. જોકે બંને દિકરાઓ ગંભીર રીતે ઘવાયા હતા.
ત્રણ લોકો પર ફાયરિંગ ત્રણેય બાપ-દિકરાને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ પિતાને મૃત જાહેર કરી બંને દિકરાની સારવાર કરી હતી.
આ સમગ્ર ઘટના વિશે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનાના વધુ પાસા હજુ ખુલ્યા નથી. આ ફાયરિંગમાં કોનો હાથ છે? પિસ્તોલ આવી ક્યાંથી? આવા અનેક પ્રશ્નો પોલીસને ઘમરોળી રહ્યા છે જયારે પોલીસની બેકારદારી સમજી સ્થાનિકો તંત્ર પર પણ સવાલો કરે છે.