ભૂકંપગ્રસ્ત મકાનોના માલિકીહક્ક બાબતે વિધાનસભામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે 16 હજાર 600 મકાનોને રેગ્યુલરાઇઝ કરાશે
ભૂકંપગ્રસ્ત મકાનોનો મામલો
રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત
"16 હજાર 600 મકાનોને રેગ્યુલરાઇઝ કરાશે"
કચ્છના લોકો વર્ષ 2001 નો 26 મી જાન્યુઆરીનો દિવસ ક્યારેય નહીં ભૂલી શકે, કચ્છ માટે તે ગોઝારો દિવસ રહ્યો.હજારો માનવીને ભરખી ગયો ભૂકંપને 20 વર્ષથી વધુ એટલે કે બે દાયકા જેટલો સમય વીત્યા બાદ પણ કચ્છના લોકો તે દિવસને નથી ભૂલી શક્યા.ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મન ના માનવીનું કાળજું કંપી ઉઠે છે.અનેક લોકો ઘર વિહોણા બની ગયા હતા. પરિવારો રસ્તા પર આવી ગયા હતા. ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ કે અન્ય રાજ્યોની સરકારોએ આવાસ બનાવી આપ્યા છે પણ ભૂકંપગ્રસ્ત પરિવારોને રહેણાકના માલિકીહક્ક મળ્યા નથી
ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઇ મહત્વની જાહેરાત
ત્યારે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે ભૂકંપ બાદ બનેલા નવા મકાનોની સમીક્ષા કરી અંદાજે 16 હજાર 600 મકાનોને રેગ્યુલરાઇઝ કરાશે. ગૃહમાં મહેસૂલમંત્રીની રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે 17 હજાર મકાનોની નોંધણી થઇ ન હતી પણ તોય છતાંય હજુ ય બાકી રહી ગયેલા મકાનો પણ રેગ્યલુરાઇ થશે. સરકારના આ નિર્ણયથી હવે ભૂકંપ બાદ બનેલા નવા મકાનો જે અત્યાર સુધી માલિકી હક્ક વિહોણા હતા તેને માલિક મળશે અને રેગ્યુલાઇઝ થયા બાદ મકાન વેચી પણ શકાશે.
માલિકીહક્ક ન મળતા પ્રોપર્ટી કાર્ડ પણ નથી
તમને એ પણ જણાવી દઈએ કે 20 -20 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં જે નવા ઘરોમાં પરિવારો રહે છે છતાં હજુ માલિકીહક્ક આપવામાં આવ્યો નથી. 20 વર્ષ થયા ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટરમાં નોંધ પાડવામાં આવેલી નથી, જેથી રેવન્યૂ રેકર્ડમાં મકાન નહીં ચડતાં માલિકીહક્ક મળ્યા નથી. પ્રોપર્ટી કાર્ડ પણ બન્યા નથી.
કચ્છ મુલાકાતમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સુ:ખદ નિર્ણયની ખાતરી આપી હતી
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની થોડા દિવસ પહેલાની કચ્છ મુલાકાતમાં આ મુદ્દો ચર્ચાયો હતો જે બાદ સરકારે આજે ભૂકંપગ્રસ્ત મકાન ધારકોને રાહતના સમાચાર આપી દીધા છે.આધોઇ, દુધઇ ઉપરાંત ભુજ, ભચાઉ અને અંજાર તાલુકાનાં ગામોમાં પુન: નિર્માણ થયેલા ઘરો વધુ છે. તમામ ડેટા તૈયાર થયા બાદ સરકારે આજે ગૃહમાં જાહેરાત કરી છે કે 17 હજાર મકાનોની નોંધણી થઇ ન હતી પણ તે મકાનોની સમીક્ષા કરી અંદાજે 16 હજાર 600 મકાનોને રેગ્યુલરાઇઝ કરાશે.