રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે કચ્છ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કચ્છ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્દીને શુભેચ્છા આપી અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, હાલ ગુજરાતના જિલ્લા અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને કચ્છ કોરોના મુક્ત છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોના મુક્ત
કચ્છ જિલ્લાનો કોરોનાગ્રસ્ત છેલ્લા દર્દી ડિસ્ચાર્જ
ડિસ્ચાર્જ દર્દી સાથે મુખ્યમંત્રીએ વાત કરી
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ 6 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાંથી 1નું મોત નિપજ્યું હતું. અગાઉ 5 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ત્યારે હવે કચ્છ જિલ્લાના કોરોનાગ્રસ્ત અંતિમ દર્દી ડિસ્ચાર્જ થયા છે. લખપતના મહિલા દર્દી 36માં દિવસે સ્વસ્થ થયા છે.
ત્યારે ડિસ્ચાર્જ દર્દી સાથે CM રૂપાણીએ કચ્છી ભાષામાં વાતચીત કરી હતી. મહિલા દર્દીને સ્વસ્થ થવા બદલ CMએ શુભેચ્છા પાઠવી હતી અને કચ્છ કોરોના મુક્ત થતા મુખ્યમંત્રીએ મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.
મુંબઈમાં ફસાયેલા કચ્છના લોકોને વતન લાવવા કોરોનાને આમંત્રણ આપવા સમાન
મહત્વનું છે કે, કચ્છમાં અત્યાર સુધી પ્રથમ કેસની હિસ્ટ્રી મળી નથી. મોતને ભેટનાર વ્યક્તિને ચેપ લગાડનાર મુંબઈથી આવેલો સંબંધી હતો તેવી શક્યતા છે. ત્યારે મુંબઈમાં ફસાયેલા લોકોને હાલની સ્થિતીમાં કચ્છમાં લઈ આવવા અતિ જોખમી છે. કચ્છ ગ્રીન ઝોનમાં છે ત્યારે હજારો કચ્છીઓ જો કચ્છમાં પરત આવે તો અનેક ચેપની ચેઈન લેતા આવે તેમાં બેમત નથી. પહેલાથી જ વાગડમાં મહારાષ્ટ્ર, પુના, બેંગ્લોરથી હજારો લોકો ચોરી છુપેથી આવીને ઘરમાં ભરાઈ ગયા છે. જેઓને શોધીને તેઓના ટેસ્ટ કરવાની તસ્દી હજી સુધી કચ્છના તંત્રે લીધી નથી. બીજી તરફ કચ્છમાં કોઈ કોરોના પોઝીટીવ દર્દી ન રહેતા કચ્છ ગ્રીન ઝોનમાં પહોંચ્યું છે.