કચ્છના રાપરમાં વાગડની નર્મદા કેનાલામાં પાણી નહીં આવતા કોંગ્રેસના ધારાસભ્ય ધરણાં પર બેઠા છે. ધારાસભ્ય સંતોકબેન આરેથીયા સાથે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
રાપરના નંદાસર કેનાલ પાસે કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા હતા. અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાપરના કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા વાગડની નર્મદા કેનાલમાં પાણી નહીં આવવા બાબતે અધિકારીને જાણ કરી હતી પરંતુ આ બાબતે કોઇ જ નિવેડો નહીં આવતા આજે તેઓએ પોતાના સમર્થકો સાથે ધરણાં પર ઉતરી આવ્યા છે. અને તેમણે આ સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
ગત ચોમાસા દરમ્યાન નર્મદા કેનાલમાં થયેલા નુકસાનના મરંમતના લીધે નર્મદાનું પાણી બંધ કરવાની સરકારની નીતીરીતીઓ સામે વાગડના ધરતીપુત્રોએ રોષ પ્રગટ કર્યો હતો. પાણી બંધ કરી દેવાથી શિયાળુ પાકને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે તેવી ભીતી સાથે ખેડુતોએ આગોતરી ચીમકી અનુસાર નંદાસર કેનાલ ખાતે પાણી મુદે ઉપવાસ યોજયા છે.
જેને રાપરના નવનિયુકત ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ પણ સમર્થન આપ્યુ છે... ખરી વાસ્તવીકતા એ છે મેઈન કેનાલમાં રરમી ડીસેમ્બર ૨૦૧૭ થી પાણી બંધ કરેલ છે. જેથી રાપર વિસ્તારની તાલુકાની કેનાલમાં પાણી ખલાશ છે.
તેથી રાપર વિસ્તારના ખેડુતો પોતાની ખેતી બચાવવા ના છુટકે પાણી બાબતે નર્મદા કેનાલને ત્યાં નંદાસર ગામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેઠા છે. આ ધરણા ઉપવાસ છાવણીમાં ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન આરેઠીયાએ જોડાઈ અને તંત્ર પાસે પાણી આપવા અને ખેડુતોની વહારે આવવા બાબતેની લેખિત બાંહેધરી માંગી છે.
કચ્છના રાપરમાં કોંગ્રેસ ધારાસભ્યના ધરણા
સંતોક બેન આરેથીયા સહિત કોંગી કાર્યકરો ધરણા પર બેઠયા