ભુજમાં થોડા દિવસ પહેલા જ APMCની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ હવે ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારને મત ન આપવાના મામલે APMCના 7 ડાયરેક્ટરોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
મત આપવા જાણ કરાઈ હોવા છતા શિસ્તભંગ કરીને સામેના ઉમેદવારને મત આપ્યો હતો. જેને લઈને પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઈ પણ મતદારને મેન્ટેડ આપવામાં આવ્યો જ ન હતો. આ મામલે ભાજપના મહામંત્રીએ પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણી ગુપ્ત હોય છે. ભાજપને કઈ રીતે ખબર પડી કે, કયા નેતાઓ કેનો મતદાન કર્યું છે. આ મામલે તપાસ માટે નોટિસ આપવામાં આવી છે.
હાલમાં જ ભૂજપ એપીએમસીની ચૂંટણી યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલની સામે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારણ કારા ડાંગરેએ ઉમેદવારી નોંધાવીહતી. કુલ 9 મતમાંથી કેશુભાઇને 9 અને હરીફ નારણભાઇને સાત મત મળતા કેશુભાઇ વિજયી બન્યાં હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસ પહેલા જ કચ્છના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. જેમાં તારાચંદ છેડાએ અખબાર યાદી દ્વારા સ્વીકાર્યું હતું કે કચ્છમાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે.
કચ્છ ભાજપ સંગઠનમાં એક-બીજાને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.