કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે 473 મો સ્થાપના દિવસ છે .. ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ સવંત ૧૬૦૫માં મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી.ભુજ કચ્છના પાટનગર તરીકે ઓળખ ઉભી કરી છે . ભુજમાં આવેલા દરબારગઢ , આયના મહેલ , પ્રાગમહેલ , રાણીમહેલ , ફતેમામદ ખોરડો , તેમજ જુના રાજાશાહી સમયના નાકા એતિહાસિક શહેરનો પરિચય કરવી રહ્યા છે .
ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધિ
ભુજમાં ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત ત્રાટકી ચૂકી છે
કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી
કચ્છ ઇતિહાસમાં આજના દિવસને ભુજના સ્થાપના દિવસ તરીકે ઉજવામાં આવી રહ્યો છે. કચ્છના પાટનગર ગણાતા ભુજનો આજે 473 માં સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સવંત ૧૬૦૫માં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી હતી.
ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધિ
સ્થાપના દિવસની ઉજવણી અને ખુલીપૂજન પરંપરા આજે યથાવત જોવા મળી રહી છે. રાજવી સમયમાં કચ્છના મહારાજા હસ્તે ખીલીપૂજનવિધિ કરવામાં આવતી હતી. આજે પરમ્પરા ભુજ નગરપાલિકા આગળ ધપાવી રહી છે. દરવર્ષે ભુજ શહેરની સ્થાપના દિવસે ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધિ કરવામાં આવી રહી છે.
ભુજમાં ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત ત્રાટકી ચૂકી છે
ભુજની સ્થપના લઈને અત્યારસુધીમાં ભુજે અનેક કુદતી આપતીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત સામનો કરી ચુક્યો છે. જેમાં ૨૦૦૧માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહિ થાય.
ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે
આજે ભુજ ૨૦૦૧ ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે . ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. સાથેજ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. ભુજમાં આવેલ એતિહાસિક આયનામહેલ ,પ્રાગમહેલ , સ્વામીનારાયણ મંદિર , હમીરસર તળાવ , છતરડી મ્યુઝીયમ સહિતના અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહ્યા છે. ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે