કચ્છના ગાંધીધામમાં આજે સવારે એક ટ્રક- છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક પ્રૌઢ મહિલા સહીત અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાં હતા.
ગાંધીધામમાં ગમખ્વાર અકસ્માત
ટ્રક- છકડો રિક્ષા વચ્ચે અકસ્માત
રીક્ષામાં સવાર ત્રણ વ્યક્તિના મોત
કચ્છના ગાંધીધામમાં આજે સવારે એક ટ્રક- છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક પ્રૌઢ મહિલા સહીત અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાં હતા. કહેવાય છે કે છકડામાં સવાર 3 મુસાફરોના મૃત્યુ થયા છે. અકસ્માત બાદ રોડ ઉપર ટ્રક પલટી, અને છકડાનો કચ્ચરઘાણ નિકળ્યો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ જેસીબીની મદદ વડે બહાર લાવી 108 એમબ્યુલન્સ મારફતે ઈલાજ માટે ખસેડાયા છે.
સવારના લગભગ 11 વાગ્યા આસપાસ સર્જાયેલી આ દુર્ઘટના બાદ ટ્રક પલટી જવા પામી હતી. રીક્ષામાં કેટલા મુસાફરો હતા તે તાત્કાલિક જાણી શકાયું નહોતુ. રીક્ષામાં બેઠેલા મુસાફરોને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી હતી જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જ એક મહિલાનું તત્કાલ મોત નીપજ્યું હતું હતું. અન્ય બે ને નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. અને લોકોના ટોળે- ટોળા ઉમટયા હતા. પોલીસે ટ્રાફિક સમસ્યા સુલઝાવવા ભારે જહેમત કરવી પડી હતી