ખેતી ડૂબતા અર્થતંત્રને બચાવી શકે તેમ છે. આ માટે ખેડૂતોને સ્વતંત્ર બનાવવા અને બને એટલી ખેતીમાં થતા પૈસાના રોકાણને અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વ્રા ખેડૂતોને સોલાર પંપ નાંખવામાં સહાય શરૂ કરવામાં આવી છે જેમાં સોલાર પંપના ખર્ચની માત્ર 10 ટકા રકમ જ ખેડૂતે ચુકવવાની છે. 60 ટકા રકમ સરકાર ચૂકવશે અને 30 ટકા બેંક ધીરાણ ધરશે.
ખેતરમાં પિયત કરવા ખેડૂતો માટે ઉત્તમ ઉપાય સોલાર પંપ
સરકાર આપી રહી છે લાખોની સહાય
ખેતીની પડતરમાં થશે ઘટાડો
શું છે કુસુમ ( KUSUM ) યોજના?
કેન્દ્ર સરકારની કુસુમ (Kisan Urja Suraksha Utthan Mahabhiyan Scheme) યોજના દ્વારા ખેડૂત પોતાની જમીનમાં સૌર ઊર્જા ઉપકરણ અને પંપ લગાવીને ખેતરોમાં સિંચાઈ કરી શકે છે. કુસુમ યોજનાની મદદથી ખેડૂત પોતાની જમીન પર સોલર પેનલ લગાવીને તેમાંથી ઉત્પન્ન થતી વિજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂત જમીન પર પેદા થતી વિજળીથી દેશના ગામડાઓમાં અવિરત વીજ પુરવઠો શરૂ કરી શકાય છે.
કુસુમ યોજનાના ફોર્મ માટેના ઈઝી સ્ટેપ્સ
https://kusum.online/register/ આ કુસુમ યોજનાનો સ્પેશ્યલ પેજ છે પણ હજુ તે અન્ડર કન્સ્ટ્રક્શન છે.
એટલે kusum - MNRE ગૂગલ પર ટાઈપ કરો એટલે એક લીંક ખૂલશે
ત્યારબાદ આ https://mnre.gov.in/sites/default/files/webform/notices/KUSUMguidelines.pdf લીંક પર ક્લિક કરો.
હવે PDF ડાઉનલોડ કરો
90 ટકા મળશે સબસિડી
કુસુમ યોજના હેઠળ, સોલર પેનલના ખર્ચના 10 ટકા રૂપિયા જ ખેડૂતોને લગાવવા પડશે.
30 ટકા રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી તરીકે આપાવામાં આવશે.
30 ટકા રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપાવામાં આવશે.
બાકીના 30 ટકા રૂપિયા ખેડૂત બેન્કમાંથી લોન લઈ શકાશે. લોન લેવામાં સરકાર ખેડૂતની મદદ કરશે.
કુસુમ સ્કીમ વિશે જાણવા જેવું
સ્કિમનું નામ KUSUM Scheme અથવા કુસુમ યોજના Kusum Yojana
કોણે કરી હતી જાહેરાત, સ્વર્ગસ્થ અને તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ
કેટલી રકમ ફાળવવામાં આવી છે 48000 કરોડ
સોલાર પંપની કિંમત કેટલી?
2 હોર્સપાવર સોલાર વોટર પંપની કિંમત લગભગ 20,55,800 જેટલી છે. જે રોજનું 1200થી 2540 હજાર લીટર પાણી ખેંચી શકે છે જ્યારે 3 હોર્ષ પાવરના પંપની કિંમત રૂા. 26,98,502 છે જેનમાંથી રોજનું 2500થી 6000 હજાર જેટલુ પાણી ખેંચી શકાય છે.