અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના વડા અબૂ બકર અલ બગદાદીને ઠાર કરી નાખ્યો એ પછી તેના મોતના ઘટનાક્રમ અંગે રસપ્રદ વિગતો સામે આવી રહી છે. બગદાદીને મોતને ઘાટ ઉતારતા પહેલાં તેના આવાસમાંથી તેનું અંડરવીયર ચોરી લેવામાં આવ્યું હતું અને આ કામ અમેરિકી સુરક્ષાદળના બાતમીદારે કર્યું હતું.
અંડરવીયર પરથી થઇ બગદાદીની ઓળખ
બાતમીદારે બગદાદીના અંડરવીયરની કરી ચોરી
ટ્રમ્પે માન્યો કુર્દ સંગઠનનો આભાર
અમેરિકી સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના વડા અબૂબકર અલબગદાદીને ખતમ કરી નાખ્યો છે. જો કે સફળતા પૂર્વક પાર પડેલા આ ઓપરેશનની ભીતરની એવી અનેક વાતો છે જે સાંભળીને આપણા રુંવાડા ઊભા થઈ જશે. સિરિયાના જે બારિશા ગામમાં બગદાદી છૂપાયેલો હતો તે સ્થળની જાણકારી મેળવવા માટે અમેરિકાને ઘણી મહેનત કરવી પડી.
અમેરિકન ગુપ્તચર એજન્સીએ SDF સાથે હાથ મિલાવ્યા
કેમકે અમેરિકા સામે સૌથી મોટો પડકાર એ પાકી ખાતરી કરવાનો હતો કે, ત્યાં છૂપાયેલો શખ્સ બગદાદી જ છે કે બીજો કોઈ? આ સમસ્યાના ઉકેલ માટે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએએ કુર્દ લડાકુઓના સંગઠન સિરિયન ડેમોક્રેટિક ફોર્સેસ એટલે કે એસડીએફના જાસૂસો સાથે હાથ મિલાવ્યા.
SDF ના એજન્ટે ચોરી લીધા બગદાદીના આંતરવસ્ત્રો
અમેરિકા સાથે એસડીએફે હાથ મિલાવ્યા બાદ એસડીએફનો એક એજન્ટ ખૂબ જ સાવધાની રાખી બારીશામાં એ ઘર સુધી પહોંચ્યો જ્યાં બગદાદી રહેતો હતો. તેણે ત્યાંથી બગદાદીના કેટલાક આંતરવસ્ત્રો ચોરી લીધા અને તેને અમેરિકી સુરક્ષાદળોને સોંપી દીધા. આ બાતમીદારે જ ઈદબિલ સ્થિત બગદાદીના ઠેકાણાનો પૂરો અહેવાલ સુરક્ષાબળો સામે રજૂ કર્યો હતો.
બગદાદીએ પોતાની જાતને વિસ્ફોટકો સાથે ઉડાવી દીધી
બાતમીદારે બગદાદીના એક એક રૂમના લેઆઉટ વિશે માહિતી આપી હતી. આ બાતમીના આધારે શનિવારે સાંજે અમેરિકી સેનાએ ઉત્તર પશ્ચિમી સિરિયાના ઈદબિલ પ્રાંતના બારિશા ગામમાં બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અમેરિકી સૈન્યની આ કાર્યવાહીમાં ફસાઈ ગયા બાદ બગદાદીએ પોતાની જાતને કમરમાં બાંધેલા વિસ્ફોટકો દ્વારા ઉડાવી દીધી તેની સાથે ત્રણ માસૂમ બાળકોનાં પણ મોત થઈ ગયા.
બગદાદીના અંડર વીયર પરથી થઇ ઓળખ
અબુ બકર અલ બગદાદીના આવાસ પર હુમલા બાદ આ હુમલામાં માર્યો ગયેલો વ્યિ~ત ખુદ બગદાદી જ છે કે કેમ તેની પાકી ખાતરી કરવામાં બહુ સમય ન લાગ્યો. કેમકે કુર્દીશ લડાકુઓના બાતમી દારે બગદાદીના ઘરમાંથી જે અંડરવીયર ચોર્યા હતા તે જ બગદાદીના મોતની પુષ્ટી કરવા માટે અત્યંત મદદરૂપ બની શખ્યા.
ટ્રમ્પે માન્યો કુર્દ સંગઠનનો આભાર
બાતમીદારે બગદાદીના ચોરેલા અંડરવીયરની મદદથી જ ડીએનએ ટેસ્ટ દ્વારા તેના મોતની પુષ્ટી કરવામાં મદદ મળી. એટલું જ નહીં બાતમીદારે જ અબુ બકર અલ બગદાદીનું બ્લડ સેંપલ પણ ઉપલબ્ધ કરાવ્યું હતું. આ સેંપલ દ્વારા જ અમેરિકી ઈન્ટેલિજન્સ અધિકારીઓએ બગદાદીના શબની પુષ્ટી કરી હતી.. ટ્રંપે પણ બગદાદીને ઠાર કરવામાં મદદ બદલ કુર્દ સંગઠનનો આભાર માન્યો હતો.