કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે, 1 ઓગસ્ટના રોજ કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દીધા બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું છે.
બાવળીયાને કોળી સમાજના પ્રમુખ તરીકે ફરી નિમણુંક
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યા
13 રાજ્યોના પ્રતિનિધીએ ઠરાવ કર્યો
કોળી સમાજને લઇને મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કુંવરજી બાવળીયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થઈ છે. તે હવે અખિલ ભારતીય કોળી સમાજના ફરીથી પ્રમુખ બન્યા છે. 13 રાજ્યોના પ્રતિનિધીએ કુંવરજી બાવળિયાનો પ્રમુખ તરીકે ઠરાવ કર્યો છે. મહત્વનું છે કે 17 રાજ્યોના અગ્રણીઓની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 3 વર્ષ માટે પ્રમુખ તરીકે બાવળીયાની નિયુક્તિ કરી દેવામાં આવી છે. અગાઉ વિરોધી જુથે કરેલી કાર્યવાહીને ગેરબંધારણીય ઠેરવી હવે વળતી કોળી સમાજની કમાન બાવાળિયાના બળે સોંપવામાં આવી છે. ત્યારે હવે વિરોધી ગ્રુપ દ્વારા ફરી કઈક નવાજુની કરવામાં આવે તેવા એધાણ દેખાઈ રહ્યા છે. કુંવરજી બાવળીયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થવાથી ભાજપને ચૂંટણી પહેલા હાશકારો થયો છે. કારણ કે કોળી સમાજ ગુજરાતમાં મત પર વધુ પકડ જમાવે છે અને કુંવરજી બાવળિયા તેમના અગ્રણી રહે તે માટે પાર્ટી પણ ઈચ્છતી હતી ત્યારે ધી ના ઠામમાં ધી પડવાથી હવે કુંવરજી તેમજ કોળી સમાજ અને સાથે ભાજપને મોટો ફાયદો થાય તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઇ રહી છે.
કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું હતું ત્યારે કામનો હવાલો આપ્યો હતો
1 ઓગસ્ટના રોજ કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ અનેક વિવાદ ઊભા થયા હતા. વર્ષ 2017માં બાવળિયા સમગ્ર ભારતના કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. 3 વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020મા કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું. અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કરાશે એવી વાત પહેલા કરી ચૂક્યા હતા
અજીત પટેલે પહેલાથી કરી ચૂક્યા હતા વિરોધ
અગાઉ સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે મહત્નું નિવેદન આપ્યું હતું . કુંવરજી બાવળીયા પર અજીત પટેલે આક્ષેપ કર્યા હતા કે ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળીયા જોડાયા હતા. સાથે કુંવરજી બાવળીયાએ સમાજ માટે કશુ કામ કર્યુ નથી. બીજા રાજ્યમાં પણ તેમને લઇને હોબાળો થયો હતો. પોતાની ખુરશી બચાવવા તેમણે પુરા પ્રયાસ કર્યા છે. આગામી ચૂંટણીમાં પણ ફરી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યા છે. સમાજમાં ફૂંટ પડાવવાનું પણ કામ કુંવરજી બાવળીયાએ કર્યું હતું. તેમનો કાર્યકાળ પુરો થયા બાદ પણ મીટીંગો કરી હતી. સમાજમાં પોતાનાને સ્થાન આપ્યું અને કેટલાકને હટાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ રીતે એમણે સમાજમાં ભાગલા પાડવાનુ કામ કર્યું છે.
અખિલ ભારતીય કોળી સમાજ શું છે?
અખિલ ભારતીય કોળી સમાજ, કોળીઓની એક સામાજિક સંસ્થા છે
રાજ્ય અને દેશના કોળી આગેવાનો આ સંસ્થા સાથે છે સંકળાયેલા
મંત્રી કુવરજી બાવળિયા આ સંસ્થાના છે પ્રમુખ
સમાજમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા મુદ્દા ઉઠાવતી રહી છે સંસ્થા
ગુજરાતમાં કોળી સમાજમાં આ સંસ્થાની છાપ રહી છે ખુબ સારી