રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણ મહિના બાદ કલેકટર કચેરીમાં મળેલી ફરિયાદ સમિતિની બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સૌથી વધુ પ્રશ્નો પુછ્યાં.
રાજકોટમાં ત્રણ મહિના બાદ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક મળી
ભાજપ, કોંગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત
કુંવરજી બાળળિયાએ સૌથી વધુ 27 મુદ્દા ઉઠાવ્યા
રાજકોટ કલેકટર કચેરીમાં ત્રણ મહિના બાદ આજે ફરિયાજ સમિતીની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સૌથી વધુ પ્રશ્નો પુછ્યાં હતાં. જેમાં સૌથી વધુ સ્ટાફની ગેરહાજરીના પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. ઉલ્લેખની છે કે, આ બેઠકમાં લલિત કગથરા, લલિત વસોયા અને મહમદ પીરજાદાએ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક બાદ કોંગ્રેસેના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન
આ બેઠક બાદ કોંગ્રેસના ધારાસભ્યએ લલિત કગથકરાએ નિવેદન આપ્યું હતું કે, આ બેઠકમાં કુંવરજી બાવળિયા વિરોધપક્ષના સભ્ય હોય તેમ પ્રશ્નો કર્યા હતાં. આ સાથે તેઓએ સૌથી વધુ સ્ટાફની ગેરહાજરીના પ્રશ્નો પૂછ્યા હતાં.તેમજ કુંવરજી બાળળિયાએ સૌથી વધુ 27 મુદ્દા ઉઠાવ્યા હતાં. ધારાસભ્ય લલિત કગથરા સૂર્યોદય યોજનાને લઈને પ્રશ્ન પૂછયા હતાં.
મંત્રી પદ ગયા બાદ બાવળિયા અસલી વિપક્ષી મૂડમાં
ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયાએ મંત્રીપદ ગયા બાદ હવે રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતિ સમક્ષ પ્રશ્નોનો ખડકલો કરી દેતાં આગામી દિવસોમાં તડાફડી થવાના અણસાર મળી રહ્યાં છે. મહત્વનું છે કે, કુંવરજી બાવળિયાએ ગત બેઠકમાં ધડાધડ 60 થી વધુ પ્રશ્નો રજૂ કરી દીધા છે. તેમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ગેરંટી પિરિયડના માર્ગોને થયેલાં નુકસાન, ગામતળ નીમ કરીને ગરીબોને પ્લોટ ફાળવવામાં ઢીલ, બેરોજગારોને લોનમાં બેંકોની કનડગત, સરકારી દવાખાનામાં હડકવા વિરોધી ઈન્જેકશનોના ખૂટતા સ્ટોક, વીજ તંત્ર દ્વારા પેટા કચેરીની જમીન માટે નાણાં ફાળવવામાં બે વર્ષથી થતી ઢીલ વગેરે મુદ્દા સમાવિષ્ટ છે. કુંવરજી બાવળીયાએ ચૂંટણી સામે આવતા તંત્ર પર બળાપો કાઢી રહ્યા હોવાનો અંદરખાને આરોપ પણ થઈ રહ્યો છે.