ગાંધીનગરઃ જસદણના જંગમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બાવળિયાની જીત થઇ હતી. ત્યારે હવે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસના નારાજ ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.
બાવળિયાએ કહ્યું છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. 2019ની ચૂંટણીમાં આ નેતાઓ કંઈક નવાજૂની કરવાના મુડમાં છે.
ત્યારે સોમા પટેલે જણાવ્યું કે કોઈપણ કોંગ્રેસી નેતાઓ બાવળિયાના સંપર્કમાં નથી. ભાજપે પોતાના ધારાસભ્યો સાચવવાની જરૂર છે. બાવળિયા જે કંઈપણ કહી રહ્યા છે તે તદ્દન જુઠ્ઠાણું છે.
કુંવરજીભાઈનું નિવેદન તથ્યો વગરના છેઃ સોમા ગાંડા
કોંગ્રેસના ધારાસભ્યો અંગે કુંવરજીના નિવેદન પર સોમા ગાંડાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના કોઇ ધારાસભ્ય એમની સાથે વાતચીત નથી કરી રહ્યા. ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ના આવે એ એમને જોવાનું છે. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય નારાજ નહીં. કુંવરજીભાઈનું નિવેદન તથ્યો વગરમના છે.
કુંવરજીએ ધારાસભ્ય પદના કર્યા શપથ ગ્રહણ
જસદણ પેટા ચૂંટણીમાં વિજેતા થયા બાદ કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. 12.39 કલાકના વિજય મુહૂર્તે કુંવરજી બાવળિયાએ શપથ ગ્રહણ કર્યા. ત્યારે આ શપથગ્રહણમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.
કુંવરજી બાવળિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. તો આ દરમિયાન ભૂપેન્દ્ર ચુડાસમા સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી.