રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનું મંત્રી પદ ગયા બાદ તેઓ આક્રમક મૂડમાં દેખાઇ રહ્યા છે. 20 તારીખે જિલ્લા સંકલનની બેઠક મળશે.
મંત્રી પદ ગયા બાદ બાવળિયા આક્રમક
સરકાર સામે ઉઠાવ્યા પ્રશ્નો
સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યા પ્રશ્નો
આ બેઠક પહેલા તેમણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.આ બેઠકમાં તેમણે વિપક્ષ જેવા પ્રશ્નો રજૂ કર્યા છે.તેમના વિસ્તારના તેમણે 50 જેટલા પ્રશ્નો રજૂ કર્યા. કોંગ્રસમાં હતા તે સમયે તેઓ આવા પ્રશ્નો પૂછતા હતા.
સર્જાયા અનેક તર્ક-વિતર્ક
સરકાર સામે પ્રશ્નો ઉઠાવતા અનેક તર્કવિતર્ક ઉદભવ્યા છે. બાવળિયાએ રોડ, આવાસના લાભાર્થીને લાભ આપવા સાથે આરોગ્ય કેન્દ્રને લગતા સવાલો સંકલન સમિતિની બેઠક માટે રજૂ કર્યા.
કયા મુદ્દા બાવળિયાએ ઉઠાવ્યા
વિંછીયા તાલુકામાં રોડ રસ્તા ખરાબ
રોડના કામ અધવચ્ચે કેમ પડતા મૂક્યા
આટકોટ આરોગ્ય કેન્દ્રમાં દબાણ વધી રહ્યું છે
આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ટ વોલ કેમ નથી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને લાભ કેમ નથી મળતો
રાવળા હક્કમાં કેમ તેમનું નામ નથી ચડતું
રાજકોટમાં આંતરિક ડખ્ખો થતાં સ્નેહમિલન રદ્દ
રાજકોટ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. આંતરિક જૂથવાદને કારણે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં મળનારૂં સ્નેહ મિલન રદ કરી દેવામાં આવ્યું છે. આગામી 20 નવેમ્બરના રોજ યોજાવાનું હતું સ્નેહમિલન. જનસંઘથી ભાજપ સુધીના તમામ કાર્યકરોના માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ CM વિજય રૂપાણીનું નામ આમંત્રણ પત્રિકામાં નહોતુ. આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીના નામની બાદબાકીથી વિવાદ થયો હતો.
શું છે સમગ્ર મામલો
ભાજપનું ગુજરાતનું માળખું હોય કે કેન્દ્રનું તેની એક જ ઓળખાણ છે શિસ્ત બધ્ધ પાર્ટી પણ ગુજરાતમાં હમણાં ઘણા સમયથી નેતાઓ વચ્ચે આંતરિક ખટરાગ હોવાના બનાવો જાહેરમાં છતાં થયા છે. રાજકોટમાં પણ કઈક આવું જ બન્યું. ગઇકાલે સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે સાંસદ રામ મોકરિયા અને MLA ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીએ જાહેરમાં સ્ટેજ પર એકબીજા વિરુધ્ધ ચર્ચા કરતાં હોવાનો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્કે જોર પકડયું છે. ભાજપમાં સબ સલામતના દાવા વચ્ચે એક સપ્તાહમાં 2 સ્નેહ મિલન યોજાતા આંતરિક જૂથબંધી પરાકાષ્ટા સામે આવી છે.
પૂર્વ CM વિજય રૂપાણીએ ગોવિદ પટેલ કર્યો સવાલ, રામ મોકરિયાએ રોકડું પરખાવ્યું
શહેર ભાજપ સ્નેહમિલનમાં મંચ પરના બોલાચાલી બાદ વિવાદ થયો છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે વિવાદ થયો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ CM વિજય રૂપાણીએ MLA ગોવિંદ પટેલને બોલાવીને આમંત્રણ પત્રિકાને લઈ સવાલ કર્યા હતા, આ દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ. ત્યાર બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે કુદયા હતા. રામ મોકરિયાને પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું કે, તમે બેસી જાઓ, તમારી સાથે વાત કરતો નથી. તેના પર રામ મોકરિયાએ કહ્યું કે, હું પણ તમારી સાથે વાત નથી કરતો, ગોવિંદ પટેલ સાથે વાત કરું છું. થોડીક્ષણ માટે સ્ટેજ પર શિસ્ત ભૂલી નેતાઓ વચ્ચે તનાતણી સર્જાઇ હતી.
ખટરાગ મુદ્દે સી આર પાટીલે શું આપ્યા આદેશ
રાજકોટના જૂથવાદ મુદ્દે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે કોઇ પણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી, જે પણ છે તે વ્યક્તિગત મુદ્દા હશે, તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે સાથે જ કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી દેવામાં આવી છે.