રાજકોટઃ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા તે પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યુ હતું. દિલ્હી હાઇકમાન્ડે બાવળિયાને મળવા બોલાવ્યા હતા. અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે કુંવરજી બાવળિયાની મુલાકાત થઇ હતી. ત્યારથી બાવળિયાને પ્રમોશન મળે તેવી ચર્ચા ચાલી રહી હતી. ભાજપ ભવિષ્યમાં બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે તેવી પણ ચર્ચા થઇ રહી હતી.
ત્યારે આ અટકળો વચ્ચે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે DyCM બનવાની વાત પર ખુલાસો કરતા કહ્યું કે મને DyCM બનાવવાની વાતમાં કોઈ તથ્ય નથી. સૌને સાથે રાખીને પક્ષના સુચન પ્રમાણે કામ કરીશુ. મેં PM સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ પર બાવળીયાનું પ્રભુત્વ છે. કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસના નેતાઓને પછડાટ મળી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ 20 હજાર જેટલી લીડથી વિજય મેળવ્યો હતી અને ગુરુ અને ચેલાની લડાઈમાં ગુરુની જીત થઈ હતી.