રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર આગામી 21મી ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. આ પેટાચૂંટણી માટે પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પેટાચૂંટણી મામલે કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે.