ગતવર્ષે ઓછા વરસાદના કારણે અને હાલના વર્ષમાં સમગ્ર રાજ્ય સાથે કચ્છમા પાણીની તંગી સર્જાઈ છે. જેને લઈને કચ્છમાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા 2 દિવસ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા.
ગતવર્ષે ઓછા વરસાદના કારણે અને હાલના વર્ષમાં સમગ્ર રાજ્ય સાથે કચ્છમા પાણીની તંગી સર્જાઈ છે. જેને લઈને કચ્છમાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા 2 દિવસ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ જિલ્લામાં જિલ્લામાં પાણીની સમસ્યા અંગે સમીક્ષા કરીને અધિકારીઓ સાથે બેઠક કરશે.
આ બેઠકમાં જિલ્લામાં પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવશે. કચ્છમાં પાણીની અછત મામલે કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યુ છે કે, જિલ્લામાં પાણીની સમસ્યા નહી સર્જાય. તેના માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના જે ગામમાં પાણીની સમસ્યા થશે તે ગામમાં ખાનગી ટેન્કર મંગાવવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા જિલ્લામાં નવી પાઈપલાઈ નાખવા માટે સૂચના પણ આપવામાં આવશે તેમ જણાવીને રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ કચ્છની તરસી ધરતી અને તરસી જનતાને આશ્વાસન આપ્યું હતું.