લોકડાઉન અનલોક થયા પછી, ટેલિવિઝન ઉદ્યોગ હવે પાટા પર પાછા જવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણી સિરીયલોનું શૂટિંગ શરૂ થયું છે અથવા થવાનું છે. 'કસૌટી જિંદગી કે 2' નું શૂટિંગ પણ તાજેતરમાં જ શરૂ થયું છે. તેની સાથે અન્ય કલાકારો સેટ પર સંપૂર્ણ કાળજી સાથે શૂટિંગ કરી રહ્યા છે પણ માર્ચ મહિનામાં શૉનો ભાગ બનેલા કુણાલ ઠાકુરે શૉ છોડ્યો છે.
કસૌટી...કુણાલનો ડેબ્યુ શૉ હતો
કનટેઇન્ટમન્ટ ઝોનમાં હોવાથી છોડ્યો શૉ
કોરોનાના ડરથી શૉને કહ્યું અલવિદા
કુણાલે એક ઇન્ટરવ્યુમાં શૉ છોડવાનું કારણ જણાવ્યું છે. કુણાલે કહ્યું, 'તાજેતરમાં જ મેં ડેન્ટલ સર્જરી કરાવી છે અને હું દવાઓ લઈ રહ્યો છું જેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. હું જ્યાં રહું છું ત્યાંથી શૂટિંગ માટે મુસાફરી સલામત નથી કારણ કે તે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે. મારી પાસે ડ્રાઇવર પણ નથી જે મને રોજ લઇ જાય. હું ઈન્ડસ્ટ્રીમાં એકદમ નવો છું અને આવા સમયે શૂટિંગ કરવાનું જોખમ લેવાની સ્થિતિમાં નથી. જ્યાં સુધી કોરોનાનું જોખમ ઓછું થતું નથી, ત્યાં સુધી હું ઘરે સલામત છું.
કૃણાલે વધુમાં કહ્યું કે, "કસૌટી ..." નિર્માતાઓ લીપ લેવાની યોજના કરી રહ્યા હતા જેથી શૉમાં એક નવો એંગલ લાવી શકે પરંતુ લોકડાઉન થયું. હવે તે શોમાં ઘણા ફેરફાર અને ટ્વિસ્ટ લાવશે. જો કે, મને રચનાત્મક રૂપે કોઈ સમસ્યા નથી પરંતુ હાલની પરિસ્થિતિમાં સલામત શૂટિંગનો અનુભવ કરતો નથી.
'કસૌટી…' કુણાલનો ડેબ્યુ ટેલિવિઝન શૉ છે. આ વર્ષે માર્ચમાં તે શૉની સાથે સંકળાયેલ હતો. તે શૉમાં અનુરાગ બાસુના ભત્રીજાની ભૂમિકા ભજવી રહ્યો હતો. કુણાલ શાહિદ કપૂર-કિયારા અડવાણી સ્ટારર કબીર સિંહમાં જોવા મળ્યો હતો.