'યે રિશ્તા ક્યા કહેલાતા હે' અને 'કુમકુમ ભાગ્ય' જેવી મોટી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયુ છે. તેઓ 54 વર્ષનાહતા. તેમણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. કુમકુમ ભાગ્યમાં તેમણે ઈન્દુ દાસીની ભૂમિકા ભજવી હતી.
ટીવી જગતમાંથી આવ્યા ખરાબ સમાચાર
કુમકુમ ભાગ્ય સીરિયલની અભિનેત્રીનું નિધન
ટીવી જગત આઘાતમાં
ઝરીના રોશન ખાનના નિધનના સમાચાર આવ્યા બાદ શોના મુખ્ય કલાકાર શબ્બીર આહલૂવાલિયા અને શ્રીતિ ઝા સહિત અનેક સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. શબ્બીરે ઝરીના રોશન ખાન સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં શબ્બીર તેમને કિસ કરતા જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લ્ખ્યું, યે ચાંદ સા રોશન ચહેરા, આ સાથે તેણે બ્રોકન હાર્ટ ઈમોજી પણ શેર કરી છે.
જ્યારે શ્રીતિ ઝાએ પણ ઝરીના રોશનની સાથે એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે બ્રોકન હાર્ટ ઇમોજી શેર કરી છે. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ઝરીના, શ્રીદેવીના ગીત હવા-હવાઇ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. શોના અન્ય એક્ટર વિન રાણા એટલે પૂરબે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઝરીના રોશનની એક તસવીર શેર કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.