ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે કે, કુંભમાં આવનારા તમામ લોકોના RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ દેખાડવા જરૂરી છે. હાઇકોર્ટે મુખ્યમંત્રી તીરથ સિંહના આદેશની નિંદા કરી હતી જેમાં તેમણે કોરોના ટેસ્ટ વગરના લોકોને પણ કુંભમાં આવવા માટેની મંજૂરી આપી હતી.
ઉત્તરાખંડ હાઇકોર્ટે આપ્યા નવા નિર્દેશ
ઉત્તરાખંડ હાઇકોર્ટે કુંભ મેળાને લઈને કરવામાં આવેલ જાહેરહિતની અરજી અંગે સુનાવણી કરી હતી, જેમાં નિર્દેશ આપ્યા હતા કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દિશા-નિર્દેશનું સખત રીતે પાલન કરવામાં આવે.
આ સાથે કોર્ટનું કહેવું છે કે, જે લોકોને વેક્સિન લાગ ચૂકી છે જોઓ પોતાનું સર્ટિફિકેટ બતાવે છે તો તેમને મેળામાં પ્રવેશ આપવા અંગેની છૂટ મળી શકે છે. બાકી તમામ લોકોને ટેસ્ટ કરાવવો અને નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત છે.
તીરથે બદલ્યો હતો મુખ્યમંત્રીનો નિર્ણય
આપને જણાવી દઇએ કે, ઉત્તરાખંડમાં આ મહિને કુંભ મેળો શરૂ થવાનો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કુંભમાં આવનારા લોકો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટને ફરજીયાત બનાવ્યો હતો. પરંતુ નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પૂર્વ મુખ્યમંત્રીના આ નિર્ણયને બદલતા કુંભ માટે કોઇપણ પાબંધી નહીં હોવાની વાત કરી હતી.
તેમણે કોરોનાના નેગેટિવ રિપોર્ટ પરથી પણ પાબંધી હટાવી હતી. જો કે, તેમના આ નિર્ણયની ઠેરઠેર નિંદા થઇ હતી. આપને જણાવી દઇએ કે, કેન્દ્રથી ઉત્તરાખંડ ગયેલી સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમે ચેતવણી પણ આપી છે કે, બેદરકારી વધશે તો મોંઘુ પડી શકે છે.
દેશમાં કોરોના વાયરસનું સંકટ ફરી ઘેરાઇ રહ્યું છે. કોરોના વાયરસના ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ દેશના 18 રાજ્યોમાંથી મળ્યા છે. આ જાણકારી ભારત સરકારાના આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટ પ્રમાણે, કોરોનાનો નવે વેરિયન્ટ જુનાના મુકાબલે વધુ જીવલેણ છે. આ વેરિયન્ટ 10,787 સેમ્પલમાંથી 771 COVID-19 વેરિયન્ટ (VOCs) હોવાનું જાણવા મળ્યું છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, યુકે વાયરસના 736 સેમ્પલનો પણ સમાવેશ થાય છે. દક્ષિણી આફ્રિકાના વાયરસ માટે 34 સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. એક સેમ્પલ બ્રાઝીલ વેરિયન્ટ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશના 18 રાજ્યોમાં આ VOCsના નમૂનાની ઓળખ થઇ છે.
પંજાબમાં 81 ટકા કેસમાં યૂકેનો વેરિઅન્ટ મળ્યો
પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે. આ પછી લોકોને જલ્દી જ વેક્સીન મૂકાવવાની અપીલ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરી છે.