ગુજરાતમાંથી કુંભમાં જનારા યાત્રાળુઓ માટે CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય, કુંભમાંથી પાછા આવનારા યાત્રાળુઓએ ફરજિયાત કરવો પડશે RT-PCR ટેસ્ટ
કુંભના યાત્રાળુઓને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય
કુંભના યાત્રાળુને ગામમાં સીધો પ્રવેશ નહીં અપાય
પરત આવનાર તમામ યાત્રાળુઓના RT-PCR ટેસ્ટ થશે
હરિદ્વારમાં ચાલતા કુંભ મેળાના યાત્રાળુઓને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે લોકો ગુજરાતમાંથી કુંભ મેળામાં ગયા હતા. અને તે લોકો પરત આવે ત્યારે તેમણે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. અને જ્યાં સુધી RT-PCR ટેસ્ટનો રિપોર્ટ ન આવે. ત્યાં સુધી કુંભમાંથી આવનારા યાત્રાળુઓએ આઈસોલેટ રહેવું પડશે. કુંભના યાત્રીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે સરકારનો નિર્ણય થયો છે. તમામ જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારે આદેશ કરી દીધા છે.
મહત્વનું છે કે, ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભનું આયોજન થયું હતું. પરંતુ કોરોનાકાળની અસર કુંભમાં પણ જોવા મળી હતી. કુંભમાં 50થી વધુ સાધુ-સંતો સંક્રમિત થયા હતા. જે બાદ આજે પ્રધાનમંત્રીએ પણ કુંભના મેળાને લઈ સૂચનો કર્યા હતા. જે બાદ હવે ગુજરાત સરકારે પણ નિયમ બનાવ્યો છે.
PM મોદીએ પણ ટ્વીટ કરીને કુંભ મુદ્દે કરી અપીલ
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે.
मैंने प्रार्थना की है कि दो शाही स्नान हो चुके हैं और अब कुंभ को कोरोना के संकट के चलते प्रतीकात्मक ही रखा जाए। इससे इस संकट से लड़ाई को एक ताकत मिलेगी। @AvdheshanandG
વધુ એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. તમામ સંતગણ તંત્રને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યા છે. મેં એટલા માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો.