કર્ણાટકના રાજકીય ડ્રામાનો આજે નિર્ણાયક મોડ જોવા મળ્યો હતો. કુમારસ્વામી સરકારે ગુરૂવારના રોજ વિધાનસભામાં બહુમતી રજૂ કરશે. આ પહેલા એચ.ડી કુમારસ્વામીએ સદનમાં બહુમતિ સાબિત કરવા માટે મંજૂરી માગી હતી. જેના પર વિધાનસભા અધ્યક્ષે નિર્ણય સંભળાવ્યો હતો.
તો કુમારસ્વામીએ આપવું પડે રાજીનામું
કોંગ્રેસ તથા JDSને આશા છે કે, બળવાખોર ધારાસભ્યો તેમનો સાથ આપશે અને સરકાર બચાવવા માટે મદદ કરશે. સોમવારના રોજ કોંગ્રેસે પોતાના દળની બેઠક બોલાવી છે. આ તરફ ભાજપનું કહેવું છે કે, 15 થી વધુ ધારાસભ્યો જેમણે કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારથી પોતાનું સમર્થન પરત લીધું છે તેમણે ભાજપ સાથે જોડાવાનો સંકેત આપ્યો છે. આવા સમયે કુમારસ્વામી એ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
ઉલ્લેખનીય છે કે, કર્નાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને કારણે વિધાનસભા અધ્યક્ષ પાસે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર નથી. તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે સ્પીકરની પાસે કોઇને પણ અયોગ્ય જાહેર કરવાનો અધિકાર નથી.
આપને જણાવી દઇએ કે, શુક્રવારે ન્યાયાલયે સ્પીકરને રાજીનામું આપી ચૂકેલા 10 ધારાસભ્યોની યાચિકા પર સુનાવણી કરી હતી અને સ્પીકર કેઆર રમેશને આદેશ કર્યો કે 16 જુલાઇ સુધીમાં રાજીનામાં અથવા અયોગ્ય જાહેર કરવાની યથાસ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ.
સરકાર આરામથી ચાલશેઃ કુમારસ્વામી
મંત્રીઓના રાજીનામા બાદ હવે કુમારસ્વામી નવી રીતે કેબિનેટનું ગઠન કરી શકે છે અને આમાં તેઓ બાગીઓને શામેલ કરી શકે છે. શહ અને માતની રાજકારણ વચ્ચે સીએમ કુમારસ્વામીનું કહેવું એમ છે કે સંકટને ઉકેલી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે, 'આ સંકટનો ઉકેલ નિકાળી લેવામાં આવશે. ચિંતા કરવાની જરૂરિયાત જ નથી. આ સરકાર (કોંગ્રેસ-જેડીએસ) આરામથી ચાલશે.'