હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) 'કાશ્મીરથી વહુ લાવવા' નિવેદન પર ફસાતા જઇ રહ્યા છે. ખટ્ટરને આ મામલે દિલ્હી મહિલા આયોગે નોટિસ પણ ફટકારી છે. આ દરમિયાન નેતા અને કવિ કુમાર વિશ્વાસે ખટ્ટરના નિવેદનની નિંદા કરી છે.
શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે હવે 'હરિયાણાના લોકો કાશ્મીરી વહુ' લાવી શકે છે. એમણે કહ્યું કે,'અમારા મંત્રી ઓપી ધનખડ કહેતા હતા કે તે બિહારથી 'વહૂ' લાવશે. આજકાલ લોકો કહી રહ્યા છે કે કાશ્મીરનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે અમે કાશ્મીરથી છોકરીઓ લાવીશું'.
આ નિવેદન પર કવિ કુમાર વિશ્વાસે (Kumar Vishwas) ખટ્ટરના નિવેદનની નિંદા કરી. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું, 'આપના પ્રદેશમાં દિકરીઓને ગર્ભમાં મારવા દેશો, ઓનર કિલિંગ થવા દેશો અને વહુ કાશ્મીરથી લાવશો? દેશની દિકરીઓનો નહીં તો ઓછામાં ઓછુ આપના પદ અને ઉંમરનો ખ્યાલ કરો? આ રીતે આશંકામાં રહેલા કાશ્મીરી ભાઇઓ-બહેનોને પોતાના બનાવશો. ઉપનામ જ બદલી લો.'
એમ એલ ખટ્ટર (ML Khattar) પોતાના નિવેદન પર ઘેરાયા બાદ સ્પષ્ટતા આપતા નજરે પડી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે મીડિયાએ તેને ખોટી રીતે રજૂ કર્યું. એમણે ટ્વિટર પર કાર્યક્રમનો આખો વીડિયો શેયર કરતા મીડિયા પર પોતાને અંગે ગેરમાર્ગે દોરવવા અને તત્થહીન અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો.
कुछ मीडिया चैनल और न्यूज एजेंसियों के हवाले से एक भ्रामक तथा तथ्यहीन प्रचार चलाया जा रहा है। जनता से मेरा ईमानदार संवाद हमेशा रहा है इसलिये मेरे बयान का पूरा वीडियो मैं सोशल मीडिया के माध्यम से शेयर कर रहा हूँ। बेटियाँ हमारी शान हैं और पूरे देश की बेटियाँ हमारी बेटियाँ हैं। https://t.co/0eCR4pFQCYpic.twitter.com/qRZVOpy24Y
ઓપી ધનખડે 2014માં કહ્યં હતું કે જો હરિયાણાના યુવકોને રાજ્યમાં યોગ્ય જોડીદાર ન મળ્યા તો એ બિહાર માટે તેમના માટે વહુ લાવશે. હરિયાણા પોતાના લિંગ અસમાનતા માટે બદનામ છે. ખટ્ટરના નિવેદન પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિભિન્ન નેતાઓ અને વર્ગોએ કડક ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ખટ્ટરના નિવેદનને 'નિંદનીય' બતાવ્યું.
આ પહેલા પણ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બળાત્કાર અને છેડતીના મામલે વિવાદિત નિવેદન આપ્યું હતું. એમણે 2018માં પંચકૂલા જિલ્લાના કાલકા શહેરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું, 'બળાત્કારના મામલા વધ્યા નથી. બળાત્કાર તો પહેલા પણ થતા હતા, આજે પણ થાય છે. એવી ઘટનાઓથી માત્ર ચિંતા વધે છે.'